તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

અમેરિકા–ઈરાન વચ્ચે તણાવમાં વધારો
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી આંદોલનો શરૂ થયા હતા. ત્યારબાદ ઈરાની સરકારે ઈન્ટરનેટ અને સંચાર સેવાઓ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઈરાન સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિઓ જવાબદાર છે અને આંદોલનકારોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલનકારો પર હિંસા અથવા હત્યાઓ થશે તો તે કડક પગલાં લેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે.

ઈરાનમાં રસ્તાઓ અને સંચાર સેવાઓ ઠપ
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, સુરક્ષા કારણોસર ઈરાને અનેક મુખ્ય રસ્તાઓ બંધ કર્યા છે તેમજ હવાઈ મુસાફરી પર મર્યાદાઓ લાદી છે. સાથે જ ઘણા વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે. દુનિયાભરની અનેક એરલાઈન્સે ઈરાન તરફની ફ્લાઈટ્સ રદ કરી છે, જેના કારણે વિદેશી નાગરિકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.

અમેરિકાએ તેના નાગરિકોને શું સલાહ આપી?
– અમેરિકન વિદેશ વિભાગે ઈરાનમાં રહેલા નાગરિકોને નીચે મુજબની સલાહ આપી છે:
– અમેરિકી સરકારના ભરોસે બેસી ના રહો, તાત્કાલિક ઈરાન છોડો
– શક્ય હોય તો આર્મેનિયા અથવા તુર્કીયે તરફ જાવ
– ઈરાનમાં ઈન્ટરનેટ, મોબાઈલ નેટવર્ક અને રસ્તાઓ બંધ થઈ રહ્યા છે
– જો દેશ છોડવો શક્ય ન હોય તો ખોરાક અને પાણીનો જથ્થો રાખી સુરક્ષિત જગ્યાએ આશરો લો
– સ્થાનિક મીડિયાની માહિતી પર નજર રાખો અને કોઈ સાથે વાદવિવાદમાં ના પડો

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો

મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ…

પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં

પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે…