Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે”

રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકને મારવાની ઘટનામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. સાંસદ પરશોત્તમ રુપાલાએ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. અમારા આગેવાનો મારમારીની ઘટનામાં ભોગ બનેલ યુવકને મળવા ગયા હતા. સામાજિક તણાવ ના થાય તે ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. પરશોત્તમ રુપાલાએ તમામને સામાજિક સૌહાર્દ જળવાય તેને લઈને અપીલ કરી છે. ગોંડલમાં પાટીદાર યુવક સામે થયેલ ઘટનામાં પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું.

આ પણ વાંચો :- અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી

જો કે, પરશોત્તમ રુપાલાએ ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે, અકસ્માતે મોત થયું હતું તેને લઈને ચાલતા વિવાદમાં બોલવાનું ટાળ્યું. સાંસદ પરશોત્તમ રુપાલા અવારનવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા હોય છે. થોડા દિવસો અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના જલારામ બાપા પર કરેલ ટિપ્પણીને તેમણે વખોડી હતી. તેમણે કહ્યું કે, જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ગોંડલ બન્યો વિવાદાસ્પદ વિસ્તાર :- ગોંડલમાં જાટ યુવાનની હત્યા અને અકસ્માતે મોત બાદ પાટીદાર યુવકને માર મારવાની ઘટનાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટીદાર યુવાનને માર મારવાની ઘટનામાં આજે ગોંડલ બંધનું એલાન હતું. પરંતુ અગ્રણી રાજનેતાઓએ સમાધાનકારી વલણ અપનાવવાનું કહેતા ગોંડલ બંધનું એલાન પરત ખેંચવામાં આવ્યું.પાટીદાર યુવાનને માર મારવાની ઘટનામાં જયેશ રાદડિયાના પિતાને લઈને પણ પોસ્ટ કરાઈ હતી કે, વીર તો વિઠ્ઠલ રાદડિયા હતા જે સમાજ લોકો સાથે ઉભા રહેતા હતા.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી

આ પોસ્ટ બાદ ધારાસભ્ય જયશે રાદડિયા અને ભરત બોધરા પાટીદાર યુવકના પરિવારને મળ્યા અને અને પીડિત યુવકના ખબર અંતર પૂછયા હતા. ગોંડલમાં યુવકને માર મારવાની ઘટનામાં જ્ઞાતિવૈમન્સય ઉભું થવાના એંધાણ બાદ આજે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રુપાલાએ પણ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. અને સામાજિક સમરસતા જળવાઈ રહે માટે તમામ શાંત રહેવા અપીલ કરી અને એમ પણ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *