ગાંધીનગરઃ તિરુવનંતપુરમમાં ભાજપના વિજય બાદ કેરળના પ્રતિનિધિઓ ગુજરાત અભ્યાસ પ્રવાસે

તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ કેરળના નવનિર્વાચિત પ્રતિનિધિઓ હાલમાં ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવ્યા છે. ‘વિકસિત કેરળ માટે ભાજપ’ અભિયાન અંતર્ગત ગુજરાત પહોંચેલા આ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને વિકાસ મુદ્દાઓ પર સંવાદ સાધ્યો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે શહેરી વિકાસને એક તક તરીકે અપનાવી સર્વાંગી પ્રગતિના નવા આયામો સર કર્યા છે. સુવ્યવસ્થિત શહેર આયોજન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો કેન્દ્રિત શાસન ગુજરાતના વિકાસ મોડેલના મુખ્ય આધારસ્તંભો છે.

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ કેરળના લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં વિકાસકાર્યો આગળ વધારવા માટે નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે આ અભ્યાસ પ્રવાસ ‘વિકસિત કેરળ’ના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

કેરળના પ્રતિનિધિઓએ પણ ગુજરાતમાં અમલમાં મુકાયેલા વિવિધ શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ અંગે રસ દર્શાવ્યો અને પોતાના રાજ્યમાં યોગ્ય મોડેલ અપનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગરવી ગુર્જરીની પહેલથી વિધાનસભા સંકુલ બન્યું ગુજરાતની કલાસંપદાનું ગૌરવમય કેન્દ્ર

ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી તા. 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’ પુસ્તકનું વિમોચન

આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું…