આજે ભારતીય જનતા પાર્ટી પોતાનો 47મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ, 1980ના રોજ થઈ હતી, જ્યારે તેની વિચારધારાનું મૂળ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત જનસંઘમાં જોવા મળે છે. દેશભરમાં આ પ્રસંગે ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અમિત શાહનો સંદેશ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ સ્થાપના દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, “દેશની સુરક્ષા, વિકાસ અને સંસ્કૃતિના પુનર્જાગરણ માટે ભાજપે મહત્વપૂર્ણ કામ કર્યું છે. ‘રાષ્ટ્ર પહેલા, પાર્ટી પછી, સ્વ છેલ્લે’ એ ભાજપનો મૂળ મંત્ર છે, અને દરેક કાર્યકર દિવસ-રાત દેશની સેવા માટે સમર્પિત છે.”
ઈતિહાસ અને વિકાસ
– 975ની કટોકટી બાદ વિરોધ પક્ષોએ મળીને 1977માં જનતા પાર્ટી બનાવી હતી, જે 1980માં તૂટી જતા ભાજપનું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું થયું.
– 1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ફક્ત 2 બેઠકો મળી હતી, પરંતુ પછીના સમયમાં પાર્ટીએ ઝડપી વૃદ્ધિ નોંધાવી. 1989માં 80થી વધુ બેઠકો જીત્યા બાદ ભાજપ રાષ્ટ્રીય રાજકારણમાં મજબૂત બની.
– 1996માં 161 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની અને 1999માં સત્તામાં આવીને 2004 સુધી સફળ શાસન કર્યું.
આ રીતે બે બેઠકોમાંથી શરૂ થયેલી ભાજપની સફર આજે દેશની સૌથી મોટી રાજકીય શક્તિઓમાંની એક તરીકે ઉભરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






