ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચે ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાના ભાગરૂપે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. નવા સુધારા મુજબ રાજ્યમાંથી 2.89 કરોડ મતદાતાઓના નામ હટાવવામાં આવ્યા છે. SIR બાદ ઉત્તર પ્રદેશમાં કુલ 12.55 કરોડ મતદારો રહી ગયા છે, જેમાંથી 46 લાખ મતદારોનું અવસાન નોંધાયું છે.
પ્રક્રિયા અને સમયપત્રક:
ડ્રાફ્ટ યાદી 31 ડિસેમ્બર, 2025ના દિવસે પ્રકાશિત થવાની હતી, પરંતુ સુધારેલા સમયપત્રક મુજબ આજે કમિશનની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
– દાવા અને વાંધા નોંધાવવા માટે સમયગાળો: 6 જાન્યુઆરી – 6 ફેબ્રુઆરી, 2026.
– નોટિસ સમયગાળા: 6 જાન્યુઆરી – 27 ફેબ્રુઆરી, 2026, દરમિયાન મળેલા દાવા અને વાંધાઓનું ઉકેલ લાવવામાં આવશે.
– અંતિમ મતદાર યાદી: 6 માર્ચ, 2026.
મતદાર યાદીનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. 15 કરોડથી વધુ મતદારોમાંથી લગભગ 81% લોકો ફોર્મ પરત કર્યા છે.
– મતદારોની સંખ્યા: 46.23 લાખ.
– સ્થળાંતર કરનાર મતદારો: 2.17 કરોડ.
– એક કરતાં વધુ જગ્યાએ નામ ધરાવતા મતદારો: 25.47 લાખ.
– ડ્રાફ્ટમાં નામ ન હોય તેવા મતદારો: 2.89 કરોડ.
કેમ મહત્વપૂર્ણ:
મતદારોને પોતાના નામની ખાતરી કરવા અને ભૂલ કે ચૂક જણાય તો સમયસર દાવા અથવા વાંધા નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ચૂંટણી પ્રક્રિયાના પારદર્શક અને યોગ્ય હોવાનો હિસ્સો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in








