ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા વરસતા પાકોને નુકસાનની ભીતિ વધતી જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લાના વડિયા અને બગસરા પંથકમાં અચાનક વાતાવરણ બદલાતા કમોસમી વરસાદ પડ્યો હતો. બગસરાના શાપર, સુડાવડ તેમજ વડિયા, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. અનેક વિસ્તારોમાં ખેડૂતો તૈયાર પાક કાપવાની તૈયારીમાં હતા, ત્યારે આ વરસાદે તેમની ચિંતા વધારી દીધી છે.

બીજી તરફ જામનગર જિલ્લામાં પણ સમી સાંજે કરા સાથે વરસાદ વરસ્યો હતો. લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા અને ખાયડી ગામોમાં કરા પડતા ચણા, ધાણા અને જીરાં જેવા પાકોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જીરું, ચણા, ધાણા, ઘઉં, કપાસ અને ડુંગળી જેવા તૈયાર પાકો પર વરસાદી છાંટા પડતાં “પડ્યા પર પાટુ” જેવી સ્થિતિ સર્જાઈ છે. મહેનતથી ઊભા કરેલા પાક પર કુદરતી આફત તૂટી પડતાં ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન માવઠું રહેવાની શક્યતા છે. 19 માર્ચે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 20 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

આ સમયગાળા દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે યલો વોર્નિંગ જાહેર કર્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    નર્મદા 2026 Big Boost to Gujarat Tourism : નર્મદાના નીરમાં લક્ઝરી સફર!

    કેવડિયા (એકતાનગર) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીમાં 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ભવ્ય લક્ઝરી ક્રૂઝ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાણો પ્રોજેક્ટની ખાસિયતો, પ્રવાસન પર તેની અસર અને ગુજરાત માટે તેનું મહત્વ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 600 મુસાફરોની ભવ્ય લક્ઝરી ક્રૂઝ શરૂ કરવાની જાહેરાત, નર્મદા નદીમાં પ્રવાસનને મળશે નવી ઓળખ ગુજરાતના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે વધુ એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કેવડિયા (એકતાનગર) ખાતે નર્મદા નદીમાં 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ભવ્ય લક્ઝરી ક્રૂઝ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્રૂઝ અત્યાર સુધીની સૌથી મોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના અમલીકરણ બાદ નર્મદા નદીમાં વોટર ટુરિઝમને નવી દિશા મળશે. પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતોનું…

    2026 : Radhanpur Community Decision : ચૌધરી સમાજનો શાંતિપૂર્ણ ન્યાયનો સંકલ્પ PASA Action Legal Process

    Reporter : અનિલ રામાનુજ રાધનપુરમાં ચૌધરી સમાજની સામાન્ય સભામાં અજમલભાઈ કેસને લઈને મહત્વના નિર્ણયો લેવાયા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સરકારની કાર્યવાહી અંગે માહિતી આપી અને પીડિતને ન્યાય અપાવવા 10 સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી. રાધનપુરમાં ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ, અજમલભાઈ કેસમાં પીડિતને ન્યાય અપાવવા 10 સભ્યોની કમિટી રચાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં અજમલભાઈ કેસને કેન્દ્રમાં રાખીને સમાજના આગેવાનો દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત સમાજના અગ્રણી આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ પીડિત પરિવારને ઝડપથી અને અસરકારક રીતે ન્યાય મળે તે માટેની વ્યૂહરચના નક્કી કરવાનો હતો. સભામાં લેવામાં આવેલા નિર્ણયો…