રશિયા યુદ્ધનો અંત લાવવા તૈયાર ! પુતિન યુક્રેન સાથે સીધી વાતચીતની કરી ઓફર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે 15 મેના રોજ ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય કાયમી શાંતિ સ્થાપિત કરવાનો અને યુદ્ધના મૂળ કારણોને દૂર કરવાનો હોવો જોઈએ. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, રશિયા સંઘર્ષના મૂળ કારણોને ઘટાડવા અને લાંબા ગાળાની શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. 2022 માં રશિયન હુમલા પછી તરત જ નિષ્ફળ વાટાઘાટોનો ઉલ્લેખ કરતા, પુતિને કહ્યું કે તે રશિયા નહીં, યુક્રેન હતું જેણે વાટાઘાટો તોડી હતી. જેના કારણે 2022 માં વાટાઘાટો તૂટી ગઈ. તેમ છતાં, અમે પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ કે કિવ કોઈપણ પૂર્વશરતો વિના સીધી વાટાઘાટો ફરી શરૂ કરે. તેમણે કહ્યું, ‘અમારો પ્રસ્તાવ યુક્રેન જે કહે છે તેના…

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ સિંધુ જળ સંધિનું શું થશે? જાણો વિગત

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ માટે કોઈ પૂર્વ કે પછીની શરતો નહોતી. વાટાઘાટોની પહેલ પાકિસ્તાન તરફથી આવી હતી. તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત રાખવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ 1960 માં વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ હસ્તાક્ષર કરવામાં આવી હતી અને હાલમાં તે સ્થગિત છે. તે સિંધુ નદી પ્રણાલીની 6 નદીઓના પાણી વહેંચણીને નિયંત્રિત કરે છે. તાજેતરના તણાવ, ખાસ કરીને પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ, ભારતે સંધિને સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન અને સરહદ પર ગોળીબારના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદ સામે…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટથી 90 ફ્લાઇટ્સ રદ, દેશના આ એરપોર્ટ પણ થયા બંધ

ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરમિયાન, દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. માહિતી અનુસાર, સવારે 8 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે 90 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટથી ઉપડતી 52 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમાંથી, દિલ્હીથી ઉપડતી 46 ફ્લાઇટ્સ અને આવનારી 33 સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. વિવિધ દેશોમાંથી આવતી 6 ફ્લાઇટ્સ અને દિલ્હીથી વિવિધ દેશોમાં જતી 5 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એરલાઇન્સે મુસાફરો માટે એડવાઇઝરી કરી જારી  તણાવ વચ્ચે, સ્થાનિક એરલાઇન્સે 10 મે સુધી વધુ ફ્લાઇટ્સ રદ કરી અને મુસાફરોને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી.…

Operation Sindoor હજુ પણ છે શરૂ? જાણો સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહે શું કહ્યું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ PoK અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે Operation Sindoor શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. Operation Sindoor ની સફળતા બાદ હવે સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેમાં ઘણા મોટા વિપક્ષી નેતાઓએ પણ ભાગ લીધો હતો. આ મીટિંગ હવે પૂરી થઈ ગઈ છે. પરંતુ જેમ જેમ મીટિંગ પૂરી થઈ રહી છે, તેમ તેમ મોટા સમાચાર બહાર આવી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તમામ સભ્યોને માહિતી આપી. સૂત્રોનો દાવો છે કે આ બેઠકમાં રાજનાથ સિંહે કહ્યું કે Operation Sindoorહજુ પૂરું થયું…

રીબડા: અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ-રાજદીપ સહિત 4 સામે નોંધાઈ દુષ્પ્રેરણની ફરિયાદ, જાણો શું છે મામલો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચર્ચામાં છે. આઅ દરમિયાન ફરી એક વાર ગોંદયલ ચર્ચામાં આવ્યું છે. આજે રીબડાની સીમમાં અમિત ખૂંટ નામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો જે મામલે મૃતકના ભાઈએ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, પૌત્ર રાજદીપસિંહ જાડેજા તેમજ બે યુવતીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રીબડાની સીમમાં અમિત ખૂંટે આપઘાત કરી લેતા તેના પરિવારજનો અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રિબડાના સ્થાનિક રાજકીય વર્ચસ્વ ધરાવતા વ્યક્તિઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ મૃતક અમિત દામજી ખૂંટના ભાઈ મનીષ દામજી ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે 4  વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમિતને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવા (આત્મહત્યા માટે પ્રેરવા)ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.…

હવે ગાંધીનગર સુધી ધક્કો ખાવાની નથી જરૂર, હર્ષ સંઘવી E-Mail પર જ લાવી રહ્યા છે પ્રશ્નનું નિરાકરણ

ડિજીટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડિજીટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે. એક વર્ષમાં ઇ મેઇલ પર કુલ-2533 પ્રશ્નો તેમજ રજૂઆતો સામાન્ય નાગરિકો તરફથી મંત્રીને મળી છે જેમાં ખૂબ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં રજૂઆતોનો સુખદ નિકાલ આવ્યો છે. મંત્રી હર્ષ સંઘવી કાર્યાલય ખાતે પ્રત્યક્ષ રીતે પ્રત્યેક અરજદાર , ધારાસભ્યઓ, સાંસદ તથા પદાધિકારીઓને સાંભળતા હોય છે. પરંતુ રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે અને ઈ-મેઈલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ…

ભારતે પાકિસ્તાને આપ્યો મોટો ફટકો, હવે આ સેવા પર લગાવ્યો પ્રતિબંધ

એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ પડશે. ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાં તમામ પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ અને ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગો દ્વારા મળતી તમામ ટપાલ અને પાર્સલની અવરજવર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.” પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક પગલાં ભરી રહ્યું છે. પોસ્ટ અને પાર્સલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પણ આ જ કાર્યવાહીનો…

ભારતે પાકિસ્તાન સાથે તોડયા વેપાર સંબંધો ! તમામ આયાત-નિકાસ પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ એવા માલ પર પણ લાગુ પડશે જે મુક્તપણે આયાત કરી શકાય છે અથવા અન્યથા પરવાનગી આપવામાં આવે છે, તેમજ ત્રીજા દેશોમાંથી પસાર થતા માલ પર પણ લાગુ પડશે. પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર પ્રતિબંધ હોવાથી પાકિસ્તાનને વધુ આર્થિક નુકશાન થશે. બંને દેશો વચ્ચે પહેલાથી જ મર્યાદિત વેપાર સંબંધો છે જે હવે સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. પાકિસ્તાનથી ભારતની આયાતમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, મસાલા અને કેટલીક ખાદ્ય ચીજોનો સમાવેશ થતો હતો, જે હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. નિષ્ણાતો…

Earthquake: વાવની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 3:35 કલાકે વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. વાવમાં મોડી રાત્રે આવેલ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ મોડી રાત્રે 3.35 વાગ્યે નોંધાયો હતો, તેનું કેન્દ્ર વાવથી 27 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મે મહિનાની શરૂઆતના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે.…

દેશની 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો

દેશભરમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 17 ટકા મહિલા સાંસદોએ પોતાને અબજોપતિ જાહેર કર્યા છે. ચૂંટણી અધિકારો સાથે સંકળાયેલી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના વિશ્લેષણમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ, 78 મહિલા સાંસદો-ધારાસભ્યો, એટલે કે 15 ટકા, પર હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. 17 અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોમાં લોકસભામાં 75 મહિલા સાંસદોમાંથી 6, રાજ્યસભામાં 37 મહિલા સાંસદોમાંથી ત્રણ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં 400 મહિલા ધારાસભ્યોમાંથી આઠનો સમાવેશ થાય છે. વર્તમાન 513 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી 512 દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાના આધારે તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે 143 એટલે કે 28 ટકાએ તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું…