કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં! : મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજકીય ગરમાવો

ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના રોજ સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમનું આગમન રાજ્યમાં મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયોની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. સાંજનો કાર્યક્રમ: – અમિત શાહનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થવાની શક્યતા છે – ત્યાંથી તેઓ સીધા તેમના નિવાસસ્થાન પર જશે – શુક્રવાર, 17 ઓક્ટોબરના રોજ મંત્રીમંડળના વિસ્તરણ અંગે નિર્ણાયક યોજનાઓ આગળ વધી શકે મહત્વપૂર્ણ રાજકીય આગમનો: આજ મોડી રાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત પહોંચશે. ગુરુવારે એટલે કે 16 ઓક્ટોબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા પણ ગુજરાત આવશે. ભાજપના ટોપ લીડરોના આગમનથી રાજ્યના રાજકારણમાં નવી ચહલપહલ…

સુરતના પુણા ગોડાદરા રોડ પર ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

સુરત શહેરમાં આજે એક ગંભીર ઘટના બની છે જ્યાં પુણા ગોડાદરા રોડ પર આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી છે. ઘટનાની ગંભીરતા ને જોતા ફાયર વિભાગે “મેજર કોલ” જાહેર કર્યો છે અને 15થી વધુ ફાયર ફાઈટિંગ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આગનું વિકરાળ સ્વરૂપ અને તાત્કાલિક પ્રતિસાદ પ્રાથમિક માહિતી મુજબ ગોડાદરાની નજીક આવેલા એક મોટા ગોદામમાં અચાનક આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈ કામગીરી શરૂ કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી જ ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા હતા અને આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી ફાયર વિભાગના સૂત્રો મુજબ, ઘટના ગંભીર હોવાને પગલે તાત્કાલિક મેજર કોલ જાહેર કરીને નિકટવર્તી ફાયર સ્ટેશનોની મદદ લઈ વધુ ટીમોને…

દિવાળીમાં અન્નથી ઘર ઘર થશે ઉજાસ: 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ, શ્રીઅન્ન, ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ શરૂ

દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કરોડો નાગરિકોને ખુશીની ભેટરૂપે મફત અનાજ અને રાશન સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.-2013) હેઠળ આવતા 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના આશરે 3.26 કરોડ સભ્યોને ઘઉં, ચોખા, બાજરી-જુવાર (શ્રીઅન્ન) સહિત અન્ય પોષક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યભરના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનોએ આ વિતરણ કામગીરી આરંભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી પોષણયુક્ત ભોજન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિતરણના મુખ્ય ઘટકો: 1. અનાજ વિતરણ (વિનામૂલ્યે): અંત્યોદય અન્ન યોજના (A.A.Y.): પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ અગ્રતા ધરાવતા કુટુંબો (P.H.H.): વ્યક્તિદીઠ 5 કિલો અનાજ 2. શ્રીઅન્ન (મિલેટ્સ) વિતરણ: બાજરી…

અમદાવાદઃ અડાલજમાં પત્રકારનું ધોળા દિવસે અપહરણ, સમગ્ર પ્રદેશમાં ચકચાર

અડાલજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજે મધ્યાહ્ન સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ટીવી ન્યૂઝ ચેનલના પત્રકારનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પત્રકારિતાના સુરક્ષા પ્રશ્નો ફરી ઉઠી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, અજાણ્યા ચાર શખ્સો એક સફેદ રંગની થાર ગાડીમાં આવેલા હતા. તેમણે પત્રકારને રસ્તા પરથી જ જબરદસ્તી ગાડીમાં બેસાડી અને અજાણી દિશામાં લઈ ગયા. ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની પૃષ્ઠભૂમિ અને તપાસની દિશા પત્રકારનું અપહરણ કઈ બાબતને લઈ થયું છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું. એવું માનવામાં આવી રહ્યું છે કે પત્રકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં લોકલ…

‘મહાભારત’ ના કર્ણનું 68 વર્ષની વયે અવસાન, કેન્સર સામે હાર્યા જંગ

ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટેલિવિઝન સીરિઝ “મહાભારત” માં કર્ણની યાદગાર ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલ અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમના સહ-કલાકાર અને “મહાભારત” માં અર્જુન તરીકે કામ કરતા ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. અભિનેતાનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર હતું, અને તે આ જંગ જીતી ગયો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેનું કેન્સર પાછું આવ્યું. અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. આ રોગને કારણે તેની મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ અભિનેતાને બચાવી શકાયા નહીં. સોશિયલ મીડિયા પર પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા…

Bihar : વિધાનસભાની ચૂંટણી નહીં લડે પ્રશાંત કિશોર, જાણો કેમ લીધો આ નિર્ણય

જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તેમણે આ નિર્ણય “જાહેર હિત” અને “મોટા હેતુ” માટે લીધો છે. જોકે, 48 વર્ષીય ભૂતપૂર્વ ચૂંટણી રણનીતિકારે તેમની પાર્ટી માટે એક ઉચ્ચ લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે સૂરાજ પાર્ટીએ ઓછામાં ઓછી 150 બેઠકો જીતવી જ જોઈએ, નહીં તો તેને હાર તરીકે જોવામાં આવશે. પ્રશાંત કિશોરે કહ્યું, “હું બિહાર વિધાનસભાની ચૂંટણી નહીં લડું. આ નિર્ણય કોઈ રાજકીય રણનીતિના ભાગ રૂપે લેવામાં આવ્યો નથી, પરંતુ જાહેર હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અમારું લક્ષ્ય 150 બેઠકો જીતવાનું છે; તેનાથી ઓછી બેઠકો જીતવાને હાર માનવામાં આવશે.” તેમની જાહેરાત પહેલા, જન સૂરાજ પાર્ટીએ તેના ઉમેદવારોની બે યાદીઓ જાહેર…

ગુજરાતમાં દિવાળી પહેલા જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ? જાણો કોને લાગી શકે છે લોટરી અને કોને મુકાશે પડતાં

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ સાથે જ એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે શુકવારે ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવા એંધાણ છે. ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટ આવતીકાલે મળી શકે છે. આ સાથે જ મંત્રીમંડળની વિસ્તરરણ શુક્રવારે સવારે થાય તેવી સંભાવના છે. રાજયપાલનો શુક્રવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આવતીકાલે રાજયપાલ દિલ્હીથી ગુજરાત આવશે. આ નેતાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન અમિત ઠાકર મહેશ કસવાળા / કૌશિક વેકરીયા જીતુ વાઘાણી રિવાબા જાડેજા જયેશ રાદડિયા ઉદય કાંગડ સંજય કોરડીયા પ્રધયુમન વાજા અર્જુન…

ચીન માટે જાસૂસી કરવાનો આરોપ ! ભારતીય મૂળની એશલી ટેલિસની અમેરિકામાં ધરપકડ; ગુપ્તચર દસ્તાવેજો મળી આવ્યા

અમેરિકામાં ભારતીય મૂળના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત અને દક્ષિણ એશિયા નીતિ સલાહકાર એશલી ટેલિસની ચીન સાથે કથિત સંબંધો અને ગુપ્ત સરકારી દસ્તાવેજો રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ શનિવારે વર્જિનિયાના વિયેનામાં ટેલિસના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જ્યાંથી 1,000 થી વધુ પાનાના ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હતા. ટેલિસ પર ગેરકાયદેસર રીતે ગુપ્ત રાષ્ટ્રીય સંરક્ષણ દસ્તાવેજો રાખવા અને ઘણી વખત ચીની સરકારી અધિકારીઓને મળવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. FBI દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા અને ફોજદારી ફરિયાદમાંથી આ માહિતી પ્રકાશમાં આવી છે. ભારતીય મૂળના અમેરિકન નાગરિક 64 વર્ષીય ટેલિસ પર 13 ઓક્ટોબરના રોજ વર્જિનિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઔપચારિક રીતે આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપોમાં કહેવામાં આવ્યું છે કે તેમણે રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત વર્ગીકૃત માહિતી રાખી…

ચાંદીમાં અભૂતપૂર્વ તેજી, કિલોગ્રામનો ભાવ પોણા બે લાખની સપાટીને પાર

ચાંદીના ભાવમાં અપ્રતિમ તેજી જોવા મળી રહી છે, જ્યાં ચાંદીનું ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,90,000 થી વધુ પહોંચીને પોણા બે લાખની સપાટી પાર કરી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ મુજબ, માત્ર એક જ દિવસે ચાંદીના ભાવમાં ₹10,000 નો ઝટકો નોંધાયો છે. આ તેજી પાછળ વૈશ્વિક બજારમાં સપ્લાયની અછત અને ઔદ્યોગિક માંગમાં સતત વધારો છે. ખાસ કરીને સોલર ઉર્જા, ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઝ, સેમીકન્ડક્ટર્સ અને 5G ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ચાંદીની વધતી માંગ એ મોટો કારણ છે. લંડન બુલિયન માર્કેટ અને US સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર 2025માં પણ ચાંદીના સપ્લાયમાં ખાધ રહેવાનું અનુમાન છે. ભારતીય બજારમાં ફિઝિકલ ચાંદીની અછતને કારણે સ્થાનિક ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં વધારે પ્રીમિયમ પર ટ્રેડ થાય છે. બજાર નિષ્ણાતો માને છે કે ચાંદીનો ભાવ…

પ્રયાગરાજમાં વાંદરાનો આતંક : 500 રૂપિયાની નોટો લઈ ઝાડ પર ચઢી જતાં દોડધામ મચી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવારે એક વાંદરો સોરાઓન તાલુકાના આઝાદ સભાગરમાં યુવકની બાઇક પાસે આવ્યો અને ત્યાં રહેલી બેગમાંથી પૈસા ઉઠાવી લઈને નજીકના પીપળાના ઝાડ પર ચઢી ગયો. આશ્ચર્યજનક રીતે વાંદરાએ બેગમાંથી ૫૦૦ રૂપિયાની નોટો કાઢી, ઝાડ પર બેસીને લોકોની હાજરીમાં નોટા વરસાદ કરવા લાગ્યો. આ અદભૂત દ્રશ્ય જોવા મળતાં આસપાસના લોકો ગભરાઈ ગયા અને નોટા છીનવી લેવા દોડધામ શરૂ થઈ. યુવકે તહસીલમાં જમીન દસ્તાવેજ નોંધાવવાના કામ માટે બાઇક પાર્ક કરી હતી અને બેગમાં મોટા પ્રમાણમાં નોટા રાખ્યા હતા. ત્યારે તે બાઈકથી થોડા દૂર હતો ત્યારે વાંદરો બેગ ખોલી લીધો અને નોટા લઈ ઝાડ પર ચઢી ગયો. ઘટનાસ્થળે એક તરફ લોકોએ વાંદરાને પથ્થરમારો અને બૂમો પાડી બેગ પાછી કરાવવાનો…