પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ : 700 દર્દીઓને મફત પોષણ કીટ, 123 ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર
પાટણ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને વેગ આપવા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણા દ્વારા CSR અંતર્ગત અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણના સહયોગથી 700 ટી.બી. દર્દીઓને વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા આશરે 4000 ટી.બી. દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ સહાયથી ટી.બી.મુક્ત કરવામાં સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટી.બી. અસાધ્ય રોગ નથી અને સમયસર તથા સંપૂર્ણ દવાઓ લેવાથી સંપૂર્ણપણે મટી શકે છે. પાટણ જિલ્લાની 123 ગ્રામ પંચાયતને ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં જિલ્લાની તમામ 486 ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા…
ગુજરાતમાં કુપોષણ મુદ્દે સરકારની કબૂલાત: 64.23% ગ્રાન્ટ વપરાઈ નહીં
ગુજરાતમાં બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ હોવા છતાં સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે કુપોષિત બાળકો માટે ફાળવવામાં આવેલી કુલ ગ્રાન્ટમાંથી 64.23 ટકા રકમ ખર્ચવામાં આવી નથી. ₹1550 કરોડ ફાળવ્યા, પરંતુ ₹995.90 કરોડ બાકી વિધાનસભામાં ધારાસભ્યના સવાલના લેખિત જવાબમાં સરકારે માહિતી આપી કે વર્ષ 2025-26 માટે કુપોષણ નિવારણ માટે કુલ ₹1550 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી માત્ર ₹554.42 કરોડનો જ વપરાશ થયો છે, જ્યારે ₹995.90 કરોડ જેટલી મોટી રકમ વપરાયા વિના જ રહી ગઈ છે. કુપોષણ મુદ્દે સરકાર પર પ્રશ્નચિહ્ન રાજ્યમાં કુપોષણ જેવી ગંભીર સમસ્યા હોવા છતાં ફાળવાયેલાં નાણાંનો પૂરતો ઉપયોગ ન થવો પ્રશાસન પર સવાલ ઊભા કરે છે. નિષ્ણાતોનું માનવું…
ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલના વિસ્તરણ મામલે PM મોદીની કેબીનેટમાં લેવાયો મોટો નિર્ણય; જાણો વિગત
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હી નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ સુગમ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના હાલના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સ્થપાયેલા અને વિશ્વભરમાં ફિનટેક હબ તરીકે ખ્યાતિ મેળવી રહેલા ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ ફિનટેક કંપનીઓ સહિત ગિફ્ટ સિટીમાં કાર્યરત એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો તથા અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને આ કનેક્ટિવિટીનો લાભ આપવા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય કેબિનેટનો આભાર માન્યો છે. વર્તમાન સ્થિતિએ ગુજરાત મેટ્રોના 68.28-કિમી અમદાવાદ મેટ્રો ફેઝ-I {APMC થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર) અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર)} અને ફેઝ-II (મોટેરા સ્ટેડિયમ…
અમરેલીમાં તુવેરની ખરીદીનો ટેકાના ભાવે શુભારંભ | #bindia
અમરેલીમાં તુવેરની ખરીદીનો ટેકાના ભાવે શુભારંભ 1600ના ભાવથી ખરીદી શરૂ કરાઈ ખેડૂતો તુવેર લઈને યાર્ડના સેન્ટરો પર પહોંચ્યા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
રાજકોટ: ગોંડલમાં જીગીશા પટેલ પર હુમલો, Live દ્રશ્યો આવ્યા સામે
રાજકોટ: ગોંડલમાં જીગીશા પટેલ પર હુમલો ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ પોલીસ તપાસ શરૂ હોસ્પિટલમાંથી LIVE દ્રશ્યો (અહેવાલ – KALPESH GOHEL) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
પાલનપુરમાં વિકાસના કામો રિવર્સ ગિયરમાં જોવા મળી રહ્યા છે | #bindia
લાખો રૂપિયાનો રસ્તો, બે મહિના માં ખોદાયો ભૂગર્ભ ગટર ભૂલાયું અને જનતાના પૈસાનો વેડફાટ પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા પાલનપુર પાલિકાની નીતિ સામે ઉભો થયો પ્રશ્નચિહ્ન (અહેવાલ – LAXMANJI THAKOR ) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત ચૂંટણી પંચના CEO તરીકે નિયુક્ત થયેલા સંદીપ સાગલે કોણ છે? જાણો તમામ વિગત
એક તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાનો પાયો એટલે મ્યુનિસિપલ ચૂંટણીઓ ના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ રાજ્ય માટે નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની નિમણૂક કરી છે. પંચે 2007 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી સંદીપ સાગલેને નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ, આ ભૂમિકા IAS અધિકારી હરિત શુક્લા દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી, જેમણે ગુજરાતમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની દેખરેખ રાખી હતી. શુક્લા 1999 બેચના IAS અધિકારી છે. સાગલે અગાઉ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી. 2007 બેચના IAS અધિકારી, સંદીપ સાગલે સ્વચ્છ છબી ધરાવતા અધિકારી છે. તેમણે અગાઉ ગુજરાતના અમદાવાદના કલેક્ટર તરીકે સેવા આપી હતી. તેમણે બનાસકાંઠા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં…
ECI અને રાજ્ય ચૂંટણી કમિશનરો (SECs) વચ્ચે 27 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાશે મહત્વપૂર્ણ બેઠક
ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આગામી મંગળવાર, 24 ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતના ચૂંટણી પંચ અને રાજ્યોના ચૂંટણી કમિશનરોની ‘નેશનલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1999 પછી, એટલે કે 27 વર્ષના લાંબા ગાળા બાદ આ પ્રકારની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર કરશે, જેમાં ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનરો તેમના કાયદાકીય અને ટેકનિકલ નિષ્ણાતો સાથે સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત તમામ 36 રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ (CEOs) પણ આ કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સ મુખ્ય ઉદ્દેશ્યો અને ચર્ચાના વિષયો આ રાઉન્ડ ટેબલ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવ્યું સુજલામ સુફલામ જળ અભિયાન 2.0, તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવાની નેમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંચય અને જળ સંગ્રહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા “કેચ ધ રેઈન” આહવાનને સાકાર કરવા ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જળ સંચય અને જળ સંગ્રહ માટેનું આ મહાઅભિયાન તા. 31 મે 2026 સુધી યોજાશે. આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના અને વરસાદી પાણીના સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે. આ હેતુસર, રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના 6 જેટલા વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે. આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું…
















