કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે.

આવતીકાલથી બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ઘેરાતા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં કરે કોઈ ફરક નહીં પડે. કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસને ઘોડા અને ગધેડાને સમજવામાં સમજણ નથી પડતી.

અમિત ચાવડાએ ભાજપ પર સાધ્યું નિશાન
બીજી તરફ ઋષિકેશ પટેલના આ નિવેદનને લઈને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ પર આંકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસમાં માત્ર ઘોડાઓ જ રહ્યાં છે. ગધેડાઓ હતા એ ભાજપમાં જતા રહ્યા છે. ભાજપ પણ એ ગધેડાઓને શોધતી હશે. સત્તાના નશામાં અને ગુમાનમા બેઠેલા લોકોએ સમજી લેવું જોઈએ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની…

સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *