Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ

અમદાવાદમાં ફરી તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કામગીરી દરમિયાન 1.7 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેના સાથે ડેબ્રીજ અને ગંદકી કરવા બદલ 8 એકમોને સીલ કરવામાં આવ્યા છે. તેમજ ઉત્તર ઝોનમાં ગંજદકી કરતાં 307 એકમોને નોટિસ ફટકારીને કુલ રૂ.80,054 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા

આ ઉપરાંત તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડા કરતાં એકમો સામે હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. તેમજ તહેવાર બાદ પણ વિવિધ વિસ્તારોમાં હજી પણ ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તેનાથી સમયસર રાહત મળે તેવી જ લોકોની માંગણી રહેલી છે. આટઆટલી કામગીરી પછી પણ ઘણી દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને ગંદકી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો

તો બીજી તરફ સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે કે, માત્ર નાના વેપારીઓને ટાર્ગેટ કરીને દંડનિય કાર્યવાહી અને નોટિસ અપાય છે, ખરેખર તો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે બજારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેરોકટોક ઉપયોગમાં લેવાય છે. તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદકો અને બજારમાં સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક પહોંચાડનાર વચેટિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉગ્ર બની છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *