Rajkot : રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે. અજાણ્યો કાર ચાલક બુલેટ ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો :- Surat : 30 માર્ચથી સુરતથી ગોવા ઉડાન ભરશે ફ્લાઇટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરુ કરાયું બુકિંગ

મળતી માહિતી મુજબ, હિટ એન્ડ રનમાં મૃત્યું પામનાર યુવકના 8 દિવસ અગાઉ લગ્ન થયા હતા. અને આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઢેબર રોડ પર ફુલ સ્પીડમાં આવતો કાર ચાલક યુવકને અડફેટે લેતા તેને સારવાર હેઠળ ખસેડયો હતો. તો સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતુ.

આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે. યુવકના મૃતદેહનું પીએમ થશે અને ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.સિધ્ધરાજસિંહ જાડેજા નામના યુવકનું મોત થયું છે. તો પોલીસે હજી સુધી આરોપીની ધરપકડ કરી નથી. જયાં અકસ્માત થયો હતો તે જગ્યાના સીસીટીવી તપાસ માટે લીધા છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગાંધીનગરમાં મંદિરો તોડી પડવા નોટિસ આપતા વિરોધનો વંટોળ, હિંદુ સંગઠનોની આંદોલનની ચિમકી ઉચ્ચારી

હવે નવા નિયમ મુજબ, રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *