Surat : 30 માર્ચથી સુરતથી ગોવા ઉડાન ભરશે ફ્લાઇટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરુ કરાયું બુકિંગ

સુરતથી ગોવા જવું હવે સરળ બન્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. 30 માર્ચથી AI એક્સપ્રેસની ગોવાની નવી ફ્લાઈટ ટેક ઓફ કરશે. અને સાંજે 7:30 કલાકે સુરતથી ટેક ઓફ થઈ 9:25 કલાકે ગોવા લેન્ડ થશે. તો આ ફલાઈટનું સિંગલ ભાડું રૂપિયા 5800 હશે. તો એરલાઇન્સ દ્વારા બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું

એર ઇન્ડિયા એક્સપ્રેસ 30 માર્ચથી સુરત-ગોવાની નવી ફ્લાઇટ શરૂ કરી રહી છે. આ ફ્લાઇટ ગોવા બાદ બેંગલુરુ સુધી જશે, જેથી સુરત બેંગલુરુ વચ્ચે ગોવામાં વન સ્ટોપ લેશે, જેથી ફ્લાઈટ ચેન્જ નહીં કરવી પડશે. બેંગલુરુથી બપોરે 3:45 કલાકે ટેકઓફ થઈ સુરત સાંજે 7:20 કલાકે પહોંચશે. જ્યારે પરતમાં 7:50 કલાકે ટેકઓફ થઈને બેંગલુરુ રાત્રે 11:25 કલાકે પહોંચાડશે.

સુરતથી મોરેશિયસ માટે હવે ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. હવે સુરત-મોરેશીયસ વાયા બેંગ્લુરૂની ફલાઈટ શરૂ થઈ છે. ઈન્ડિગો એરલાઈન્સ 4 ડિસેમ્બરથી આ ફ્લાઇટ ટેક ઓફ કરી હતી. સપ્તાહમાં ચાર દિવસ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે

સુરતથી મોરેશિયસ પહોંચતા 14 કલાક જેટલો સમય લાગશે. આ સાથે સુરતથી બેંગ્લુરુનો ટ્રાવેલિંગ ટાઈમ 1 કલાક 50 મિનિટ હશે,બેંગ્લુરુ એરપોર્ટ પર 6 કલાક 25મિનિટનો લેઓવર ટાઇમ જ્યારે બેંગ્લુરુથી મોરેશિયસનો 5 કલાક 55 મિનિટનો ટ્રાવેલ ટાઇમ લાગશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *