Gandhinagar : ગાંધીનગરમાં મંદિરો તોડી પડવા નોટિસ આપતા વિરોધનો વંટોળ, હિંદુ સંગઠનોની આંદોલનની ચિમકી ઉચ્ચારી

ગાંધીનગરમાં મંદિરો તોડવા નોટિસ પાઠવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમા આવતા મંદિરો તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં મંદિરોને નોટિસ મળી તેમના ટ્રસ્ટી મંડળ હોદેદારો એકઠા થઇને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે

ગાંધીનગર મંદિરોને નોટિસ મળી છે. તમામ ટ્રસ્ટી મંડળ તેમજ હિન્દુ સંગઠનો કાર્યકરો સાથે આજે ગાંધીનગર કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. જે મંદિરોને નોટિસ મળી તેને પરત ખેંચવા અંગે રજૂઆત કરવામાં આવશે. મંદીરો તોડવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાતા વિવાદ વકર્યો છે.

27 મંદીરોને તોડવાની નોટિસ સામે વિરોધના વંટોળ ફૂંકાઇ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવા નોટીસ આપતા હિંદૂ સંગઠનો મેદાનમાં ઉતર્યું છે. મંદીરો દૂર કરવા કાર્યવાહી થશે તો હિંદૂ સંગઠનો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો :- Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો

VHP અને બજરંગ દળ મહાનગરપાલિકાની મંદિરોને નોટિસના પગલે સોમવારે બેઠક કરશે. મંદીરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ સાથે ભારત માતા મંદીર ખાતે સોમવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 27 મંદિરો તોડવા મનપાની નોટિસ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઉંદર મારવાના ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ કેમ? સરકારની કડક કાર્યવાહીથી મચ્યો ખળભળાટ 2026 Complete Ban,

ઉંદર મારવાની મનાઈ કેમ? ગુંદરવાળા ટ્રેપ પર સરકારની કડક કાર્યવાહી, નિયમો જાણો નહીં તો થઈ શકે કાનૂની કાર્યવાહી ઉંદરને ગુંદરવાળા ટ્રેપથી પકડવા અને તડપાવીને મારવા સામે સરકાર દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જાણો આ નિર્ણય પાછળનું કારણ, પ્રાણી કલ્યાણના નિયમો અને શું છે કાનૂની જોગવાઈઓ. ઘર, દુકાન, ગોડાઉન અને ખેતરોમાં ઉંદરની સમસ્યા સામાન્ય છે. ઉંદરથી બચવા માટે ઘણા લોકો ગુંદરવાળા ટ્રેપ (Glue Traps) અથવા ચીકણા પૂંઠાંનો ઉપયોગ કરે છે. જોકે, કેટલાક દેશો અને પ્રદેશોમાં આવા ટ્રેપના ઉપયોગ પર પ્રતિબંધ અથવા કડક નિયંત્રણ લાદવામાં આવ્યું છે, કારણ કે પ્રાણી કલ્યાણના દૃષ્ટિકોણથી તેને અત્યંત પીડાદાયક માનવામાં આવે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર “ઉંદર મારવાની મનાઈ”, “ગુંદરવાળા પૂંઠાં મૂકશો તો જેલ થઈ શકે” જેવા દાવાઓ વાયરલ થયા…

ગુજરાતમાં મેઘમેહર: સુરત, વલસાડ અને રાજકોટમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર 2026 : Furious Monsoon

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, વલસાડ અને રાજકોટમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા  હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો. સુરત, વલસાડ અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જાણો તાજી સ્થિતિ અને આગામી આગાહી. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ સવારથી જ સુરત, વલસાડ અને રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સતત વરસતા વરસાદને કારણે અનેક શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર અને દૈનિક જનજીવન પર અસર જોવા મળી. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *