હળવદમાં ચારણબાઈ પર સ્વામીએ બફાટ કર્યાનું સામે આવ્યું છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રાદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે હળવદમાં સ્વામીના બફાટનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સ્વામીના બફાટનો વિડિયો બે દિવસ પહેલાનો જ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી
રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણમાં હરિકૃષ્ણ ધામના સ્વામી ભક્તિ હરી સ્વામીએ ચારણબાઇ પર બફાટ કર્યો હતો. જેના કારણે આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામી અન્ય કોઇ વ્યક્તિને થયેલ રોગ વિશે વાત કરી રહ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિને રોગ થતા તેમના સસરાએ ચારણબાઇ પાસેથી મંત્ર લખેલો પાળો આપ્યો હતો. જે પાળાને દોરામાં બાંધીને સસરાએ જમાઇને બાંધ્યો હતો. તે ટાણે સ્વામિનારાયણ ભગવાન દર્શન આપવા આવ્યા હતા. પરંતુ ગળામાં પાળો જોઇને સ્વામિનારાયણ ભગવાન પાછા જતા રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે, પાળાના કારણે તેઓ પાછા જતા રહ્યા હતા, પાળો કાઢીને સવારે મંદિરમાં આવજો.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ
સ્વામીએ વધુમાં કર્યું હતું કે સ્વામિનારાણય ભગવાને કિધું કે પાળો કાઢશો એટલે સમસ્યા દૂર થઇ જશે અને સાજા થઇ જશો. ત્યારે ચારણબાઇ વિશે આવો બફાટ કરતા લોકોના નારાજગી જોવા મળી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






