Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદિત નિવેદન લઈને બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. આજે-કાલે બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. આવશ્યક વસ્તુઓને બાદ કરતાં શહેર બંધ રહેશે. દવા, હોસ્પિટલ, જરૂરી ચીજોની દુકાનો ચાલુ રહેશે. મહત્વનું છે કે, જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું

વીરપુરની બેઠકમાં આગેવાનોનું સ્વામીને અલ્ટીમેટમ, સ્વામી કાલે સાંજ સુધીમાં વીરપુર આવી રૂબરૂ માફી માગે. માફી નહીં તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર થશે. વિવાદિત નિવેદન બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી તેમ છતાં વિરોધ શમવાનું નામ નથી લેતો. સંત શિરોમણી જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ નારાજગી વધી છે. યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી

યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માગ કરી છે. આ અંગે એક વેપારી આગેવાને જણાવ્યું કે, વીરપુરના દરેક સમાજના આગેવાનોની એક મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે, આવતીકાલ રાત સુધીમાં જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના ચરણોમાં શીશ ન ઝૂકાવી જાય, ત્યાં સુધી વીરપુર બે દિવસ બંધ રહેશે. પરમ દિવસે વીરપુરના દરેક સમાજના લોકો એકત્રિત થઈ આગળની રણનીતિની અમે જાહેરાત કરીશું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *