ગુજરાત: આજથી ધોરણ 10-12ની પરીક્ષાનો આરંભ, 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

આજથી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની (GSEB) બોર્ડ પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. રાજ્યમાં GSEB બોર્ડમાં ધોરણ-10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

-> પરીક્ષા કેન્દ્રો સજ્જ બન્યા :- GSEB બોર્ડ પરીક્ષાને લઈને 5222 બિલ્ડીંગના 50991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. તમામ પરીક્ષા કેન્દ્રોના 50991 બ્લોક CCTVથી સજ્જ થઈ ગયા છે. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પરી વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરાશે.

-> શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાનો સંદેશ :- શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાને લઈને શુભકામના પાઠવી. શિક્ષણમંત્રીએ પરીક્ષા આપતા વિદ્યાર્થી અને તેમના પરીવારને સંદેશ આપ્યો. તેમણે વાલીઓને લઈને કહ્યું કે, બોર્ડ પરીક્ષાના સમય દરમ્યાન ઘરમાં સકરાત્મક વાતાવરણ રાખવામાં આવે. જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. બોર્ડ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આખું વર્ષ મહેનત કરવામાં આવે છે. અને અત્યારે અંત સમયે વિદ્યાર્થીઓને જો અનુકૂળ વાતાવરણ ના મળે તો પરીણામ પર વિપરિત અસર થાય છે. તેમજ વિદ્યાર્થીઓને પણ સલાહ આપી કે જો પેપરમાં સારું પ્રદર્શન ના કરી શકો તો ડિપ્રેશનમાં આવી કોઈ ખરાબ લેવા કરતાં પછીના સમયમાં વધુ મહેનત કરવાથી ચોક્કસ સારા પરિણામ મળશે.

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *