ગીર સોમનાથમાં ભયાનક અકસ્માત, કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા ત્રણ લોકોનાં મોત

B INDIA ગીર સોમનાથ : ગીર સોમનાથમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર ધડાકભેર ટ્રક સાથે અથડાતા 3 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે અને એક યુવાન ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં પોલીસે તપાસ હાથધરી છે,સાથે સાથે જે યુવાન ઈજાગ્રસ્ત થયો છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

-> અકસ્માતમાં 3ના મોત :- મળતી વિગતો મુજબ, સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર અકસ્માતની ઘટના બની છે. જેમાં ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માતની આ ઘટના ડોળાસા પાસે બની છે. કારમાં સવાર 4 યુવાનોમાંથી 3ના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

-> અગાઉ પણ લોકો અકસ્માતનો ભોગ બન્યા :- અગાઉ ત્રણ દિવસ પહેલા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા મહીસાગરના શિક્ષક બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કાર સાથે અકસ્માત થતા મોત થયું હતું. આ અકસ્માતની ઘટના કુંભાઈડી ગામ પાસે બની હતી. જેમાં શિક્ષક રાજુભાઈનું મોત થયું હતું. એ જ દિવસે અન્ય એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં પાલનપુરની હનુમાન ટેકરી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે એક્ટિવા સવાર બે બહેનોને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક બહેનનું મૃત્યુ નિપજ્યું હતું.

Related Posts

Ahmedabad Jagnnath Rath Yatra 2026: પ્રથમવાર હાથીઓ માટે હાઈટેક સુરક્ષા, 18 હાથી પર લગાવાશે CCTV અને ડેસિબલ મીટર

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરી રહી છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન હાથી ભડકવાની ઘટનામાંથી બોધપાઠ લઈને આ વખતે પ્રથમવાર રથયાત્રામાં…

પોરબંદરના ધરમપુર નજીક નૌસેનાનું UAV ક્રેશ, કોઈ જાનહાનિ નહીં

પોરબંદરના ધરમપુર નજીક આવેલા નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું એક અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેનાના અધિકારીઓ, પોલીસ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *