રાજકોટમાં આવકવેરા વિભાગનો સપાટો, 500થી વધુ લોકોને ફટકારી નોટિસ

B INDIA રાજકોટ : રાજકોટમાં આવક વેરા વિભાગે 500થી વધુ લોકોને નોટિસ ફટકારી છે. લોકોએ રીર્ટન ભરતી વખતે દર્શાવેલ માહિતીના આધાર પર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાવામાં આવી હતી. એકસાથે 500થી વધુ લોકોને નોટિસ ફટકારતા વેપારી અને બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો છે.2019-2020ના રીટર્નની માહિતીની ચકાસણીમાં 3 ગણો ખર્ચ વિભાગના ધ્યાનમાં આવ્યો છે. રીટર્નમાં કેટલાક લોકોએ તેમની આવક કરતાં ત્રણ ગણો ખર્ચ બતાવ્યો હતો. આ લોકોએ સોનું, પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદી કરી હતી. આ તમામની કેટલી ખરીદી થઈ હોવાના આંકડા રીટર્નમાં સામે આવ્યા હતા. જેના આધાર પર આ ખર્ચની તેમની આવક સાથે સરખામણી કરતાં અનિશ્ચિતતા સામે આવી હતી.

દર વર્ષે વેપારી હોય કે બિલ્ડર અથવા તો પછી નોકરી કરનારા તમામ નાગરિકો દ્વારા રિટર્ન ભરવામાં આવતું હોય છે. રીટર્નમાં આવક દર્શાવવામાં આવે છે. સોની વેપારીઓ અને બિલ્ડરો મોટાભાગે રોકડમાં વ્યવહારો કરે છે. આપણે જ્યારે સોનું, પ્રોપર્ટી કે લકઝરી વસ્તુઓની ખરીદી કરતા હોઈએ છીએ. ત્યારે આપણે બિલ લઈએ છીએ. આ બિલમાં વસ્તુની ખરીદી મુજબ ટેક્સ લાગતો હોય છે. તેમજ પ્રોપર્ટીમાં રજીસ્ટ્રેશન કરાતું હોય છે.સરકારે વર્ષ 2015માં આવકવેરાના કાયદાની કલમમાં કેટલાક ફેરફાર કર્યા હતા. કલમ 269SS, 269T, 271D અને 271E માં કરેલ ફેરફાર મુજબ કોઈપણ વ્યક્તિ 19,999 રૂપિયા સુધીના જ રોકડ વ્યવહાર કરી શકે છે. અને જો આ નિયમનું પાલન ના કરવામાં આવે તો વિભાગ તરફથી નોટીસ મળે છે.

પ્રોપર્ટી રજીસ્ટ્રેશનની માહિતી તેમજ સોના જેવી કિમતી વસ્તુઓ ખરીદીના બીલની માહિતી પરથી આવક વિભાગ તમારી વિગતો મેળવે છે. સોનું, પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદીમાં લાગતા ટેક્સ પરથી સરકારને જે – તે વ્યક્તિએ કરેલ વસ્તુની ખરીદીની વિગતો મળી રહે છે. અને જ્યારે રીટર્ન ભરવામાં આવે ત્યારે આ ખર્ચ બતાવવામાં આવતો નથી. આથી જ હાલમાં આવક વેરા વિભાગ દ્વારા 2019-2020ના રીટર્નની ચકાસણી કરવામાં આવી ત્યારે અનેક લોકોના આવક કરતાં ખર્ચ વધુ જોવા મળ્યો. આથી વિભાગે 500થી વધુ લોકોને નોટિસ ફટકારી જવાબ આપવા કહ્યું. નોટિસ મળતા લક્ઝરી લાઇફ જીવતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

Related Posts

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે 31 ઓગસ્ટથી શરૂ થવાની આશા, 8 કલાકની સફર હવે માત્ર 4 કલાકમાં!

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-મુંબઈ સેક્શનની રાહ જોઈ રહેલા લાખો વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં આ મહત્વપૂર્ણ માર્ગ વિભાગને 31 ઓગસ્ટ, 2026 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે. જોકે, અંતિમ તારીખ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. આ વિભાગ શરૂ થયા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે રોડ કનેક્ટિવિટીમાં મોટો સુધારો થવાની શક્યતા છે. ખાસ કરીને વડોદરા અને મુંબઈ વચ્ચે નિયમિત મુસાફરી કરતા લોકો માટે આ એક્સપ્રેસવે સમય અને અંતર બંનેની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વડોદરા-મુંબઈ મુસાફરીમાં મોટો ફેરફાર હાલમાં ટ્રાફિક, શહેરોમાંથી પસાર થતો માર્ગ અને અન્ય પરિસ્થિતિઓને કારણે વડોદરાથી મુંબઈ પહોંચવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગી શકે છે.…

Ahmedabad AMC Food Dept Crackdown 2026: લાયસન્સ વગરનું ગોડાઉન સીલ! Food Safety Raid સાવચેત રહેજો અમદાવાદવાસીઓ

Ahmedabadમાં તહેવાર પહેલાં મીઠાઈ પર AMCની તવાઈ: કાજુ કતરીના વરખમાં અન્ય ધાતુ મળતા એકમ સીલ Ahmedabadમાં તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં મીઠાઈ અને માવાની દુકાનો તથા ઉત્પાદન એકમોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવી છે. આ તપાસ દરમિયાન કુલ 22 જેટલા ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાલુપુર-બાપુનગર વિસ્તારમાં આવેલા શ્રી કનૈયાલાલ માવાવાળાના એકમમાં કાજુ કતરીના વરખ અંગે ગંભીર બાબત સામે આવતા એકમને સીલ કરવામાં આવ્યો હતો. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકો પોતાના પરિવાર અને સંબંધીઓ માટે મીઠાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *