શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું

રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે જ સંયુક્ત શિક્ષણ નિયામકે એક પત્ર પણ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શિક્ષકોને આવી કોઈ પણ કામગીરી સોંપવામાં આવી નથી.

મીડિયામાં આવતા સમાચારોને લઈને કમિશનર શાળાઓની કચેરીએ સત્તાવાર રીતે પત્ર જાહેર કર્યો છે કે, જિલ્લા શિક્ષણાધિકારીઓને જે આદેશો અપાયા છે તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો કે કર્મચારીઓએ કૂતરાં ગણવાની કામગીરી કરવાની રહેશે. આ સૂચનાઓ માત્ર જાહેરહિતમાં અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે આપવામાં આવી હતી, જેને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

 

નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનોના ત્રાસ અને તેના વ્યવસ્થાપન અંગે લેવાયેલા કડક વલણ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી હતી. જેને લઈને નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે.

જૂઓ પરિપત્ર

નાયબ શિક્ષણ નિયામક તરફથી જિલ્લા શિક્ષણાધિકારીઓને કરવામાં આવેલો પરિપત્ર

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

૧૪૯મી રથયાત્રા: અમદાવાદ પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’ અભિયાન, સુરક્ષા વ્યવસ્થા સજ્જ.

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: સુરક્ષાનું અભેદ્ય ‘ત્રિ-સ્તરીય’ કવચ, હજારો પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજી સાથે અમદાવાદ પોલીસ સજ્જ! અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લાખો ભક્તોની…

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ બાદ લીઝ કરાર રદ, જાણો શું છે સરકારનો નિર્ણય.

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ પછી લીઝ રિન્યુ નહીં કરવાનો સરકારનો માસ્ટરપ્લાન – આઈટી હબના ભવિષ્ય પર પ્રશ્નાર્થ? ગાંધીનગર: રાજ્યના આઈટી અને કોર્પોરેટ જગતનું કેન્દ્ર ગણાતી ગાંધીનગરની ઈન્ફોસિટી અંગે ગુજરાત સરકારે અત્યાર…