મીડિયામાં આવતા સમાચારોને લઈને કમિશનર શાળાઓની કચેરીએ સત્તાવાર રીતે પત્ર જાહેર કર્યો છે કે, જિલ્લા શિક્ષણાધિકારીઓને જે આદેશો અપાયા છે તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો કે કર્મચારીઓએ કૂતરાં ગણવાની કામગીરી કરવાની રહેશે. આ સૂચનાઓ માત્ર જાહેરહિતમાં અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે આપવામાં આવી હતી, જેને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.
નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનોના ત્રાસ અને તેના વ્યવસ્થાપન અંગે લેવાયેલા કડક વલણ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી હતી. જેને લઈને નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે.
જૂઓ પરિપત્ર

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






