શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું

રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે જ સંયુક્ત શિક્ષણ નિયામકે એક પત્ર પણ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શિક્ષકોને આવી કોઈ પણ કામગીરી સોંપવામાં આવી નથી.

મીડિયામાં આવતા સમાચારોને લઈને કમિશનર શાળાઓની કચેરીએ સત્તાવાર રીતે પત્ર જાહેર કર્યો છે કે, જિલ્લા શિક્ષણાધિકારીઓને જે આદેશો અપાયા છે તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો કે કર્મચારીઓએ કૂતરાં ગણવાની કામગીરી કરવાની રહેશે. આ સૂચનાઓ માત્ર જાહેરહિતમાં અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે આપવામાં આવી હતી, જેને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

 

નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનોના ત્રાસ અને તેના વ્યવસ્થાપન અંગે લેવાયેલા કડક વલણ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી હતી. જેને લઈને નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે.

જૂઓ પરિપત્ર

નાયબ શિક્ષણ નિયામક તરફથી જિલ્લા શિક્ષણાધિકારીઓને કરવામાં આવેલો પરિપત્ર

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગરમી અને દુષ્કાળથી જર્મનીની રાઈન નદીમાં પાણી ઘટ્યું, અર્થતંત્ર સામે મોટો ખતરો

યુરોપમાં ચાલી રહેલી તીવ્ર ગરમી અને લાંબા સમયથી પડેલા વરસાદના અભાવે જર્મનીની રાઈન નદીમાં પાણીનું સ્તર ઐતિહાસિક રીતે નીચું પહોંચી ગયું છે. જર્મનીના આંતરિક જળમાર્ગો માટે રાઈન સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. અહીં પાણી ઘટતાં માલવાહક જહાજોની અવરજવર પર ગંભીર અસર પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં જહાજોની સફર રોકવી પડી રહી છે. જર્મન ઇનલેન્ડ નેવિગેશન એજન્સી અનુસાર, 14 ઓગસ્ટ સુધીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને જે જહાજો હજુ પણ ચાલી રહ્યાં છે તેમાંથી મોટા ભાગને સંપૂર્ણ ભાર સાથે ચલાવવું શક્ય નથી. પરિણામે રાઈન મારફતે જતો માલ હવે રોડ પરિવહન તરફ વાળવામાં આવી રહ્યો છે. રાઈન કેમ છે જર્મની માટે આટલી મહત્વની? રાઈન નદી જર્મનીના ઔદ્યોગિક વિસ્તારોને ઉત્તર યુરોપના મોટા બંદરો સાથે જોડે છે. કોલસો,…

બલુચિસ્તાનમાં હવાઈ હુમલાના દાવા વચ્ચે ટ્રમ્પની ચુપકીદી પર સવાલ, F-16ના ઉપયોગ અંગે વિવાદ

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા અભિયાન અને હિંસાની ઘટનાઓ વચ્ચે હવે અમેરિકન હથિયારોના ઉપયોગને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાની સેનાએ બલુચિસ્તાનમાં કરેલી કાર્યવાહી દરમિયાન અમેરિકન બનાવટના F-16 વિમાનોનો ઉપયોગ કર્યો હોવાના દાવાઓ સોશિયલ મીડિયા અને કેટલાક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જોકે, આવા દાવાઓ અંગે સ્વતંત્ર અને વિશ્વસનીય પુષ્ટિ મર્યાદિત છે, તેથી તેને નિશ્ચિત હકીકત તરીકે રજૂ કરવી યોગ્ય નથી. 12 ઓગસ્ટે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન 10 સશસ્ત્ર લડવૈયાઓ માર્યા ગયા હોવાનો પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો હતો. એ જ દિવસે સુરાબ જિલ્લામાં કાર બોમ્બ સમય પહેલાં ફાટી જતાં ત્રણ નાગરિકો સહિત અનેક લોકોના મોત થયા હતા. પાકિસ્તાની સેનાએ આ વિસ્તારની હિંસાને બલુચ અલગાવવાદી સંગઠનો સાથે જોડીને કાર્યવાહી કરી હોવાનું…