બાબુ વાઢેર, જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદના બાલાનીવાવ નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર સિંહોની લટાર જોવા મળી છે. પ્રસિદ્ધ ‘લવ–કુશ’ નામની સિંહોની જોડી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતી અને હાઈવે પર લટાર મારતી નજરે પડી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મહત્વની વાત એ છે કે ગયા મહિને આ જ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાના અકસ્માતમાં મોત થયા હતા. તેમ છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. વારંવાર થતા વન્યપ્રાણી અકસ્માતો બાદ પણ હાઈવે પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળ્યો છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જાણે ઘાતક માર્ગ બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઝડપી વાહન વ્યવહારના કારણે સિંહો સતત જોખમમાં મુકાઈ રહ્યા છે.
વ્યક્ત કરવામાં આવી ચિંતા
સ્થાનિક લોકો અને વન્યપ્રાણી પ્રેમીઓ દ્વારા વનવિભાગની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. “સિંહોની સુરક્ષા માટે જવાબદાર વનવિભાગ હજી સુધી કેમ નિષ્ક્રિય છે?” એવો પ્રશ્ન લોકો પૂછે છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો વધુ વન્યપ્રાણીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ‘લવ–કુશ’ સિંહોની જોડીનો નેશનલ હાઈવે પર લટાર મારતો વીડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






