અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ચેતવણી, જાણો શું છે મામલો

અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં હાલ તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોના કારણે બંને દેશો વચ્ચે કડવાશ વધી છે. ભારત પર ટેરિફ વધાર્યા બાદ હવે અમેરિકાએ વધુ એક કડક સંદેશો આપ્યો છે, જે ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે.

ભારતમાં આવેલી અમેરિકન એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો અમેરિકામાં રહીને કોઈ ભારતીય વિદ્યાર્થી યુ.એસ.ના કાયદાનો ભંગ કરશે તો તેમનો વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે અને તેમને ભારત પરત મોકલવામાં આવી શકે છે.

એમ્બેસીએ લખ્યું છે કે, “યુ.એસ.ના કાયદાનો ભંગ કરવાથી તમારા વિદ્યાર્થી વિઝા માટે ગંભીર પરિણામો આવી શકે છે. જો તમારી ધરપકડ થાય અથવા તમે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરો તો તમારો વિઝા રદ થઈ શકે છે, તમને ડીપોર્ટ કરવામાં આવી શકે છે અને ભવિષ્યમાં યુ.એસ. વિઝા માટે અયોગ્ય ઠરી શકો છો. નિયમોનું પાલન કરો. યુ.એસ. વિઝા કોઈ અધિકાર નહીં પરંતુ એક વિશેષાધિકાર છે.”

આ પહેલાં પણ અમેરિકન એમ્બેસીએ ભારતમાંથી અમેરિકા જતાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે કડક જાહેર ચેતવણી આપી હતી. જેમાં જણાવાયું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હિંસક કાર્ટેલ, માનવ તસ્કરો અને ભ્રષ્ટ અધિકારીઓના શિકાર બને છે અને તેમનું શોષણ થાય છે. આવા ઇમિગ્રેશનથી ફાયદો માત્ર તસ્કરોને જ થાય છે.

એમ્બેસીએ વધુમાં જણાવ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે અને અમેરિકાની સરહદો તથા નાગરિકોની સુરક્ષા પર ખાસ ભાર મૂકી રહ્યું છે. કડક વિઝા નિયમોના કારણે ગયા વર્ષે અમેરિકામાં વિદ્યાર્થી વિઝા પર નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના એનરોલમેન્ટમાં લગભગ 17 ટકા ઘટાડો નોંધાયો હતો.

આ ઉપરાંત H-1B વિઝા માટે અરજી કરનારા કુશળ આંતરરાષ્ટ્રીય કામદારોને પણ લાંબી રાહ જોવાની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જે ભારતના પ્રોફેશનલ્સ માટે ચિંતા જનક બાબત બની છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે