સુરેન્દ્રનગરમાં પોલીસ પર છરીથી હુમલો કરતા સ્વબચાવમાં PSIએ આરોપીના પગમાં મારી ગોળી

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કાર્યવાહી દરમિયાન ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મારામારીના એક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કરતા PSIએ સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી.

મળતી માહિતી મુજબ, દેવરાજ બોરાણા નામના આરોપીને પોલીસ દ્વારા મારામારીના કેસમાં પકડવામાં આવ્યો હતો. બાદમાં શિયાણી ગામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પોલીસ આરોપીને સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ અચાનક છરી કાઢીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

પોલીસકર્મી ઈજાગ્રસ્ત
આરોપીના હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફરજ પર હાજર PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.

આરોપી સારવાર હેઠળ, તપાસ ચાલુ
ઘટના બાદ આરોપી દેવરાજ બોરાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટના સંબંધિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આરોપી દ્વારા પોલીસ પર જીવલેણ હુમલો થતા સ્વબચાવ માટે આ કાર્યવાહી કરવી પડી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે