‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ

‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

PMLA હેઠળ કાર્યવાહી
ED દ્વારા આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ લુધિયાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી.

લુધિયાણાના ઉદ્યોગપતિ સાથે ₹7 કરોડની છેતરપિંડી
EDના જણાવ્યા અનુસાર, આ કેસમાં લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસ્વાલ પીડિત બન્યા હતા. સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી, નકલી સરકારી અને ન્યાયિક દસ્તાવેજો બતાવી તેમને ડરાવ્યા હતા અને અલગ-અલગ ખાતાઓમાં ₹7 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા.

તપાસ દરમિયાન આ રકમમાંથી ₹5.24 કરોડ વસૂલ કરીને પીડિતને પરત કરવામાં આવ્યા છે. બાકીની રકમ મજૂરો, ડિલિવરી બોય સહિતના નામે ખોલવામાં આવેલા ખોટા અને નકલી ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, જ્યાંથી પૈસા તરત ઉપાડી લેવામાં આવ્યા અથવા આગળ ટ્રાન્સફર કરાયા હતા.

મહિલાની ધરપકડ, મની લોન્ડરિંગમાં સંડોવણી
EDએ જણાવ્યું કે રૂમી કાલિતા નામની મહિલા છેતરપિંડીથી મળેલા નાણાં છુપાવવા અને મની લોન્ડરિંગમાં મહત્વની ભૂમિકા ભજવી રહી હતી. તેણીએ ‘મ્યુલ અકાઉન્ટ્સ’ની બેંક વિગતોનો ઉપયોગ કર્યો હતો અને બદલામાં છેતરપિંડીથી મળેલા નાણાંનો એક ભાગ મેળવ્યો હતો. મળેલા પુરાવાઓના આધારે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ રૂમી કાલિતાની ધરપકડ કરી હતી.

2 જાન્યુઆરી સુધી ED કસ્ટડી
ધરપકડ બાદ EDએ ગુવાહાટી સ્થિત CJM કોર્ટમાંથી ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર આરોપીને મેળવ્યા હતા. ત્યારબાદ તેણીને જલંધરની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાં કોર્ટએ આરોપીને 2 જાન્યુઆરી, 2026 સુધી 10 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

તપાસ ચાલુ
EDએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો તથા મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા છે. અગાઉ પણ 31 જાન્યુઆરી, 2025ના રોજ આ કેસ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.