ભારતમાં યુએસ એમ્બેસી અને તમામ કોન્સ્યુલેટ્સ 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક એક્ઝિક્યુટિવ ઓર્ડરના પગલે લેવામાં આવ્યો છે. નાતાલના પર્વને ધ્યાનમાં રાખીને લેવાયેલ આ પગલાથી તમામ વિઝા, પાસપોર્ટ અને કોન્સ્યુલર સેવાઓ આ ત્રણ દિવસ માટે અટકી જશે.
દેશના મુખ્ય શહેરોમાં આવેલી યુએસ દૂતાવાસો (દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ)માં નિયમિત વિઝા ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ પ્રક્રિયા નહીં ચાલે. જે અરજદારોની એપોઇન્ટમેન્ટ આ સમયગાળામાં હતી, તેમને ઇમેઇલ મારફતે નવી તારીખોની જાણ કરવામાં આવશે. જો કે, મેડિકલ ઇમરજન્સી અથવા ગંભીર કિસ્સાઓ માટે હેલ્પલાઇન કાર્યરત રહેશે.
એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે 27 ડિસેમ્બરથી તમામ સેવાઓ ફરી શરૂ થશે. અરજદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર પોર્ટલ પરથી જ અપડેટ્સ તપાસે અને કોઈ અફવા પર વિશ્વાસ ન કરે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





