અરવલ્લી વિવાદ પર પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું-“90 ટકાથી વધુ વિસ્તાર સુરક્ષિત, ખનનને……”

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અરવલ્લીની નવી પરિભાષા બદલવાથી મોટા પાયે ખનનને મંજૂરી આપવામાં આવી રહી હોવાના દાવા ખોટા અને ભ્રામક છે. પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલો માળખો અરવલ્લી ક્ષેત્રને અગાઉ કરતાં વધુ મજબૂત સુરક્ષા આપે છે.

પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ અરવલ્લી વિસ્તારના 90 ટકા કરતાં વધુ ભાગને સંરક્ષિત ક્ષેત્ર તરીકે આવરી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સમગ્ર મેનેજમેન્ટ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી નવા ખનન પટ્ટાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ યથાવત્ રહેશે.

પરિભાષા બદલવાથી ચિંતા, સરકારે આપી સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પહાડીઓની એકસમાન પરિભાષાને મંજૂરી આપ્યા બાદ પર્યાવરણવિદો અને નાગરિકોમાં ચિંતા જોવા મળી હતી. આ અંગે સ્પષ્ટતા કરતાં મંત્રીએ કહ્યું કે ખનનને છૂટ આપવામાં આવી રહી હોવાની વાત સંપૂર્ણપણે ખોટી છે અને જનમાનસમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

એકસમાન નિયમોની જરૂર કેમ પડી?
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવલ્લી વિસ્તારમાં ખનનને લઈને અલગ-અલગ રાજ્યોમાં જુદા માપદંડો લાગુ હતા, જેના કારણે ગૂંચવણ અને દુરુપયોગ થતો હતો. કેટલાક વિસ્તારોમાં પહાડોની તળેટી સુધી ખનન થતું હોવાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મે 2024માં એક વિશેષ સમિતિની રચના કરી હતી.

સમિતિની રચના અને ભલામણ
પર્યાવરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હી સહિતના રાજ્યોના પ્રતિનિધિઓ તથા તકનીકી નિષ્ણાતો સામેલ હતા. સમિતિના અભ્યાસમાં જાણવા મળ્યું કે વર્ષ 2006થી રાજસ્થાનમાં અરવલ્લીની સ્પષ્ટ પરિભાષા અમલમાં છે અને તેને અન્ય રાજ્યો દ્વારા અપનાવવાની સહમતિ થઈ.

શું છે નવી પરિભાષા?
નવી પરિભાષા અનુસાર, આસપાસની ભૂ-આકૃતિ કરતાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂ-આકારોને પહાડી ગણવામાં આવશે. આવી પહાડીઓને આવરી લેતા બાઉન્ડિંગ કન્ટૂરની અંદર આવતો સમગ્ર વિસ્તાર ખનન માટે પ્રતિબંધિત રહેશે, ભલે અંદરના ભાગની ઊંચાઈ કે ઢાળ કંઈ પણ હોય. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 100 મીટરનો માપદંડ ખનનની છૂટ માટે નહીં, પરંતુ પહાડી પ્રણાલી ઓળખવા માટેનો વૈજ્ઞાનિક ધોરણ છે.

ખનનનો હકીકતી આંકડો
સરકારી આંકડાઓ મુજબ રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના અરવલ્લી વિસ્તારોમાં કાયદેસર ખનન કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 0.19 ટકા જેટલું છે. દિલ્હીમાં આવેલા અરવલ્લીના પાંચ જિલ્લાઓમાં કોઈપણ પ્રકારનું ખનન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

ગેરકાયદેસર ખનન સૌથી મોટો ખતરો
સરકારનું કહેવું છે કે અરવલ્લી માટે સૌથી મોટો ખતરો ગેરકાયદેસર અને અનિયંત્રિત ખનન છે. તેને રોકવા માટે ડ્રોન, સેટેલાઇટ અને આધુનિક મોનીટરીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ કોર અને ઇનવાયોલેટ વિસ્તારો ઓળખીને ત્યાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Questions Over Child Rights & Poverty In Gujarat 2026: “ભૂખ્યા ભજન ન થાય”… તો ભૂખ્યા બાળકનું Empowered Youth શિક્ષણ કેવી રીતે થશે?

આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના આરે પણ બાળમજૂરીની વાસ્તવિકતા દેશભક્તિના પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા બાળકોએ વ્યવસ્થાને પૂછ્યો સવાલ “ભૂખ્યા ભજન ન થાય” — Gujaratની આ કહેવત માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની એક કડવી વાસ્તવિકતા છે. પેટની ભૂખ સામે ભક્તિ હોય કે દેશભક્તિ, માણસ માટે સૌથી પહેલાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મહત્વની બની જાય છે. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશ આઝાદ થયાને 79 વર્ષ પૂર્ણ થશે. આ દિવસ દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પરંતુ આ જ પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા એક બાળકનું દૃશ્ય અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સ્વતંત્રતા દિવસ પહેલાં રસ્તા પર તિરંગા વહેંચતા એક બાળકને સ્વતંત્રતા દિવસ…

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…