ધોરણ 12માં નાપાસ થયેલા વિધાર્થીઓને રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સલાહ, જાણો શું કહ્યું

આજે જાહેર થયેલ ધોરણ 12ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષામાં સફળ થયેલ વિધાર્થીઓને શુભકામના પાઠવી છે.

પ્રફુલ પાનશેરીયાએ જે વિધાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિધાર્થીઓને અભિનંદનને પાઠવું છું પરંતુ જે વિધાર્થીઓને સફળ નથી થયા એ વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ ઓફ ટુ પરીક્ષા અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું સપનું પૂરું કરી શકશે અથવા વિધાર્થી જે વિષયમાં નાપાસ થયા છે એની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે.

નાપાસ થયેલ વિધાર્થી માટે શું કહ્યું
મંત્રીએ કહ્યું કે, કોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. માતા પિતાના આપના સાચા સ્નેહી છે, એમનો ગુસ્સો આપ સૌ બાળકો આગળ વધારવા માટેનો હોય છે. આપ સૌ વિધાર્થીઓને મારી વિનંતી છે કે જે વિધાર્થીઓ નાપાસ થયા છે એ આજથી જ તૈયારી કરી પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ બોર્ડ સારી કામગીરી કરી રહ્યું છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં ટ્રેકિંગના મારફતે વિધાર્થીઓને અસુવિધા ન રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષામાં ચોરીના બનાવો બન્યા નથી તે એક શિક્ષણ વિભાગનું હકારાત્મક પાસું છે.

શિક્ષણ મંત્રી પ્રફુલભઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 516 કેન્દ્રો ઉપર તા. 27/02/2025 થી 17/03/2025 દરમિયાન યોજાયેલ હતી. આ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદવારો નોંધાયેલા હતા.

આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત 24,107 નિયમિત ઉમેવારો નોંધાયા હતા, જે પૈકી 22,897 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 12,746 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 55.67 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 8317 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 7878 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3369 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 42.76 % ટકા આવેલ છે.

ગત વર્ષ કરતાં 1 ટકા પરિણામ વધ્યું
વિજ્ઞાન પ્રવાહમાં 152 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં 1,00,575 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 83, 987 વિધાર્થી પાસ થયા. એટલે કે 83.51% પરિમાણ આવ્યું છે. આ દરમિયાન સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું આવ્યું છે. મોરબી જિલ્લાનું 92.91% પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિમાણ દાહોદ જિલ્લાનું છે. દાહોદમાં 59.15% પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણી માં પરિમાણમાં 1% નો વધારો થયો છે.

સામાન્ય પ્રવાહમાં રાજ્યના 516 કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં 3, 62,506 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 3,37, 387 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે સામાન્ય પ્રવાહ નું પરિણામ 93.7 % આવ્યું છે. રાજ્યમાં સો ટકા પરિણામ ધરાવતી 2005 શાળાઓ છે. 10% થી ઓછું પરિણામ ધરાવતી રાજ્યમાં કુલ 21 શાળાઓ છે. સામાન્ય પ્રવાહમાં વધુ પરિમાણ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો તેમાં 97.20% પરિમાણ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિમાણ ધરાવતો જિલ્લો વડોદરા બન્યો છે. તેનું પરિમાણ 87.77% આવ્યું છે. ગત વર્ષ 91.93 % પરિમાણ હતું. આ વર્ષે સામાન્ય પ્રવાહમાં 93.07% પરિણામ આવ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન, આ યોજના થકી હવાની ગુણવત્તા સુધારશે અને હરિત આવરણને કરશે વિસ્તૃત

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026: ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *