ગુજરાતમાં કોંગ્રેસ આપ સાથે નહીં કરે ગઠબંધન, શક્તિસિંહ ગોહિલે કરી મોટી જાહેરાત

ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે ગુજરાતમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી જેને પૂર્ણવિરામ આપ્યો છે. કોંગ્રેસ હવે કડી અને વિસાવદર બંને બેઠક પર ઉમેદવાર મેદાને ઉતારશે.

વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતું નહીં તેથી નિર્ણય લીધો છે. વિસાવદર અને કડીમાં ઉમેદવાર ઉતારીશું. કેન્દ્રમાં ગઠબંધન છે અને રહેશે.

કેમ યોજાશે પેટા ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો ખાલી છે.વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ અને ભાજપમાં જોડાયા હતા. જેને લઈ વિસાવદર બેઠક ખાલી પડી છે. બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીની અવસાન થતાં કડી બેઠક ખાલી પડી હતી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *