Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી.

ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો બપોરના 1.33 કલાકે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર તાલાલાથી 12 કિલોમીટર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

રાજ્યમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કુલ 4 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે એપ્રિલ મહિનાની શરૂઆત માંજ ભૂકંપનો એક આંચકો અનુભવાયો છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ડભોઇમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી

ડભોઇ નગરમાં વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની શોભાયાત્રા સાથે ઉજવણી ડભોઇ નગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની 2624 મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય…

ગુજરાતમાં એપ્રિલમાં પણ માવઠું યથાવત્: ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત છતાં માવઠું હજુ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *