કર્ણાટકના કલબુર્ગીમાં સર્જાયો અકસ્માત, વાન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા 5ના મોત

શનિવારે સવારે લગભગ 3.30 વાગ્યે કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં નેલોગી ક્રોસ પાસે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. એક વાન (મેક્સિકેબ) રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 11 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

ખ્વાજા બંદે નવાઝ દરગાહ જઈ રહ્યા હતા શ્રદ્ધાળુઓ
મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે, બધા મુસાફરો કાલાબુર્ગી સ્થિત પ્રખ્યાત ખ્વાજા બંદે નવાઝ દરગાહ તરફ જઈ રહ્યા હતા. બધા મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાન પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ ગઈ.

મૃતકોની ઓળખ થઈ
અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ લોકોની ઓળખ વાજિદ, મહેબૂબી, પ્રિયંકા અને મહેબૂબ તરીકે થઈ છે. આ બધા દરગાહ જય રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કાલાબુર્ગીની GIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષકે સ્થળની તપાસ કરી
ઘટનાની જાણ થતાં જ, કાલાબુર્ગીના પોલીસ અધિક્ષક એ. શ્રીનિવાસુલુ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતની તપાસ શરૂ કરી. પોલીસે નેલોગી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને અકસ્માતના કારણની તપાસ ચાલી રહી છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *