કર્ણાટકના કલબુર્ગીમાં સર્જાયો અકસ્માત, વાન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા 5ના મોત

શનિવારે સવારે લગભગ 3.30 વાગ્યે કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં નેલોગી ક્રોસ પાસે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. એક વાન (મેક્સિકેબ) રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 11 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

ખ્વાજા બંદે નવાઝ દરગાહ જઈ રહ્યા હતા શ્રદ્ધાળુઓ
મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે, બધા મુસાફરો કાલાબુર્ગી સ્થિત પ્રખ્યાત ખ્વાજા બંદે નવાઝ દરગાહ તરફ જઈ રહ્યા હતા. બધા મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાન પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ ગઈ.

મૃતકોની ઓળખ થઈ
અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ લોકોની ઓળખ વાજિદ, મહેબૂબી, પ્રિયંકા અને મહેબૂબ તરીકે થઈ છે. આ બધા દરગાહ જય રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કાલાબુર્ગીની GIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષકે સ્થળની તપાસ કરી
ઘટનાની જાણ થતાં જ, કાલાબુર્ગીના પોલીસ અધિક્ષક એ. શ્રીનિવાસુલુ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતની તપાસ શરૂ કરી. પોલીસે નેલોગી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને અકસ્માતના કારણની તપાસ ચાલી રહી છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…

6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનતથી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળા 2026 Exquisite Art.

₹6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનત પછી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળાનો અજોડ નમૂનો પટોળું  ગુજરાતના વિશ્વવિખ્યાત પાટણના પટોળાની બનાવટ, કિંમત, કારીગરોની મહેનત અને તેની વૈશ્વિક ઓળખ વિશે જાણો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ પટોળું ભેટમાં આપ્યું હતું. ગુજરાતની ધરતી પર જન્મેલી અનેક પરંપરાગત કલાઓમાં પાટણનું પટોળું (Patan Patola) વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેની અદભૂત ડિઝાઇન, સૂક્ષ્મ કારીગરી અને અનોખી વણાટ પદ્ધતિને કારણે પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ ભારતીય હસ્તકળાનું જીવંત પ્રતીક છે. આજે પણ એક અસલી પટોળાની કિંમત લાખોમાં પહોંચી શકે છે. કેટલીક વિશેષ ડિઝાઇનવાળી પટોળા સાડીની કિંમત ₹6 લાખ કે તેથી વધુ પણ હોઈ શકે છે. પાટણના પટોળાની વૈશ્વિક લોકપ્રિયતાનો અંદાજ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *