કર્ણાટકના કલબુર્ગીમાં સર્જાયો અકસ્માત, વાન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા 5ના મોત

શનિવારે સવારે લગભગ 3.30 વાગ્યે કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં નેલોગી ક્રોસ પાસે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. એક વાન (મેક્સિકેબ) રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 11 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

ખ્વાજા બંદે નવાઝ દરગાહ જઈ રહ્યા હતા શ્રદ્ધાળુઓ
મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે, બધા મુસાફરો કાલાબુર્ગી સ્થિત પ્રખ્યાત ખ્વાજા બંદે નવાઝ દરગાહ તરફ જઈ રહ્યા હતા. બધા મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાન પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ ગઈ.

મૃતકોની ઓળખ થઈ
અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ લોકોની ઓળખ વાજિદ, મહેબૂબી, પ્રિયંકા અને મહેબૂબ તરીકે થઈ છે. આ બધા દરગાહ જય રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કાલાબુર્ગીની GIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષકે સ્થળની તપાસ કરી
ઘટનાની જાણ થતાં જ, કાલાબુર્ગીના પોલીસ અધિક્ષક એ. શ્રીનિવાસુલુ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતની તપાસ શરૂ કરી. પોલીસે નેલોગી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને અકસ્માતના કારણની તપાસ ચાલી રહી છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ભાજપના ‘વ્યૂહરચનાકાર’ની વિદાય: જ્યોર્જ કુરિયનના રાજીનામા પાછળનું અસલી કારણ શું?

ભાજપના રાજકારણમાં મોટો વળાંક: વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું, સંગઠનમાં ગરમાવો નવી દિલ્હી: ભારતીય રાજનીતિમાં આજે એક મોટી ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા…

જગન્નાથ રથયાત્રા ૧૪૯: અમદાવાદ ફરી ભક્તિના રંગે રંગાશે, તૈયારીઓ પૂરજોશમાં!

ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા માટે જમાલપુરનું જગન્નાથ મંદિર સજ્જ! અમદાવાદ: અષાઢી બીજનો દિવસ એટલે આખા દેશમાં ભગવાન જગન્નાથના ભક્તો માટે ઉત્સવનો દિવસ. જ્યારે પુરીના દરિયાકિનારે ભક્તોનો મેળાવડો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *