Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, આજથી પવનોની દિશા બદલાતા તાપમાન વધશે

રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે. માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે.આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત 3 લોકોનાં મોત

ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી,ડીસામાં 37.8, વડોદરામાં 36.4 ડિગ્રી,સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી,નલિયામાં 36.4 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી,અમરેલીમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 32.4 ડિગ્રી,ભાવનગરમાં 35.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 36.5 ડિગ્રી,મહુવામાં 33.4 ડિગ્રી, કેશોદ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે.

આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધશે :- વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 20 ટકા નોંધાઇ હતી. ઉત્તર-પશ્ચિમ દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, આગામી ચાર દિવસ સુધી કચ્છથી લઇને વલસાડ સુધીના 1600 કિલોમીટરના દરિયા કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે. ત્યારબાદ ફરી તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *