કોંગ્રેસને વધુ એક ઝટકો, આંકલાવ નગરપાલિકાના અપક્ષ ઉમેદવારે કર્યા કેસરિયા

કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાવમાં હવે ભાજપની સત્તા આવી ગઈ છે. જેમાં અપક્ષના 5 કાઉન્સિલરોએ ભાજપને ટેકો જાહેર કરીને કેસરીયા ધારણ કર્યો છે. મળતી માહિતી મુજબ આંકલાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના મનુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 3ના બે કાઉન્સિલર સિતારબાનું સલીમશા અને નારસંગ રાજ, વોર્ડ નંબર 1થી પણ બે કાઉન્સિવર ગીતાબેન ચાવડા અને પ્રવીણભાઈ સોલંકી આણંદના ભાજપ કાર્યાલયમાં ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આંકલાવ નગરપાલિકામાં 24 માંથી 10 બેઠક ભાજપે જીતી હતી. જ્યારે અન્ય 4 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસ પ્રેરિત એક અને અન્ય 4 અપક્ષોએ કેસરિયો ધારણ કરતા અમિત ચાવડાના મતવિસ્તારમાં ભાજપનું કદ વધ્યું છે.

સાંસદ મિતેશ પટેલે કહ્યું હતું કે, આંકલાવ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ આંકલાવ નગરપાલિકાની જે બોડી બનશે તે વિકાસના કામો કરશે.

Related Posts

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *