મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં શહેરી નક્સલવાદ અને ઈવીએમ અંગે ગૃહને માહિતી આપતા કાઠમંડુમાં યોજાયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. એક ખુબજ પ્રસિદ્ધ મીડિયા હાઉસ દ્વારા આ બેઠક વિશે વિશેષ માહિતી આપતો અહેવાલ રજુ કર્યો છે.
આ અહેવાલમાં દર્શાવ્યા મુજબ તેમને જે માહિતી પ્રાપ્ત થઇ છે તે અનુસાર, 12 અને 14 નવેમ્બર 2023 વચ્ચે કાઠમંડુના કાંતિપુર વિસ્તારમાં માઓવાદીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ખાસ કરીને માઓવાદીઓના ટોચના કમાન્ડરોની હતી. આ બેઠકમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને મણિપુરના માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં મહત્વની રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
-> મહારાષ્ટ્રના ચારથી પાંચ લોકો સામેલ છે :- આ બેઠકમાં મહારાષ્ટ્રના ઓછામાં ઓછા ચારથી પાંચ લોકો પણ હાજર હતા, જેમાં એક અગ્રણી બૌદ્ધિક પણ સામેલ હતા. આ બૌદ્ધિક ભારત જોડો અભિયાન સાથે સંકળાયેલા હતા અને કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા આયોજિત આ અભિયાનનો સક્રિય ભાગ હતા. મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન આ વ્યક્તિએ બંધારણની રક્ષાના મુદ્દા સાથે આંદોલન પણ કર્યું હતું અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.
-> માઓવાદીઓએ ચોંકાવનારી સૂચનાઓ આપી હતી :- કાઠમંડુની બેઠક બાદ માઓવાદીઓને આગામી પગલાઓ માટે નવી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ઈવીએમ વિરુદ્ધ મોટું આંદોલન ચલાવવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી. બેઠકમાં આ આંદોલનને ચાર તબક્કામાં વિભાજીત કરીને અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી હતી.
-> પ્રથમ તબક્કો :- મીડિયા અને સમાજ દ્વારા ઈવીએમ પર શંકા પેદા કરીને આરોપો લગાવવામાં આવશે જેથી લોકોમાં શંકાનું વાતાવરણ સર્જાય.
-> બીજો તબક્કો :- મહારાષ્ટ્રની સાથે અન્ય રાજ્યો પણ ઈવીએમ સામે અવાજ ઉઠાવશે અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગણી કરાશે.
-> ત્રીજો તબક્કો :- મહારાષ્ટ્રમાં, મહાગઠબંધન સરકારથી નારાજ સમાજના વિવિધ વર્ગો, ખાસ કરીને મુસ્લિમ, દલિત અને ઓબીસી સમુદાયોને શેરીઓમાં લઈને સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવશે.
-> ચોથો તબક્કો :- અંતે, યોજના હિંસક ચળવળમાં ફેરવવાની છે જેમાં સરકાર સામે શેરી લડાઈ શરૂ કરવામાં આવશે, અને અરાજકતાની સ્થિતિનો આક્ષેપ કરવામાં આવશે.
-> માઓવાદીઓએ મોટું ષડયંત્ર રચ્યું હતું :- કાઠમંડુમાં આયોજિત આ બેઠક બાદ માઓવાદીઓના ટોચના કમાન્ડરોએ તેમના કેડરોને આ વ્યૂહાત્મક સૂચનાઓ લાગુ કરવા જણાવ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં મહારાષ્ટ્ર અને દેશના રાજકીય વાતાવરણને પ્રભાવિત કરવા માઓવાદીઓ દ્વારા મોટા પાયે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.








