ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો

ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ એફ.એસ.એલ.ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઇ હોવાનું ખુલતા ભાવનગર પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને આખરે બનાવના 534 દિવસ બાદ પોલીસે હત્યારા દંપતિ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા, કંચનબેન રણજીતભાઇ ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયાની આ મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

–: આરોપી પોલીસ સકંજામાં :-

પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી રણજીતે કબુલ્યું હતું કે, તેની પત્નિ કંચનબેન બિમાર રહેતી હોય જેની સારવાર માટે આર્થીક તંગી ઊભી થતાં તેણે તેના સગા ફઇ અને ભિક્ષાવૃતિ કરતા હલુબેન ધર્મેન્દ્રભાઇ વાઘેલા પાસે પૈસાની માંગણી કરી હતી. જેની હલુબેન એ રૂપિયા આપવાની ના પાડતા દંપતિએ હલુબેનને વિશ્વાસમાં લઇ ચા માં ધતુરાના બી નો પાવડર નાંખી, અર્ધબેભાન કરી, ગળેટુપો આપી હત્યા કરી, લાશને ગટરમાં ફેંકી ફરાર થઇ જવા પામ્યા હતા.

સગા ફઇની હત્યા કરનાર આરોપી રણજીત પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેણે ગત 3-10-2023ના રોજ હલુબેનની હત્યા કરી હતી અને પોલીસને લાશ મળતા પોલીસએ ગત તા. 26-12-2023ના રોજ ગુનો નોંધ્યો હતો. અને જેના બે માસ બાદ વરતેજ પોલીસ મથકના વિસ્તાર હેઠળ જ આરોપી રણજીત અન્ય છ શખ્સો સાથે જુગારમાં ઝડપાયો હતો. અને તે વેળાએ પોલીસે તેની પાસેથી રૂા. 24,000ની રોકડ ઝડપી હતી અને બાદમાં જુન માસમાં ફરી છરી સાથે ભરતનગર પોલીસમાં ઝડપાયો હતો છતાં પોલીસ આ હત્યારાથી અજાણ રહેવા પામી હતી.

કહેવાય છે કે, ને કાનૂન ના હાથ લાંબા હોય છે એની જેમ આ હત્યારા ઉપર 6 થી વધુ ગુન્હા નોંધાયા બાદ ફરી એક વખત વરતેજ માં તેની સામે ગુન્હો નોંધાયો અને તેણે દોઢ વર્ષ પહેલાં તેના ફઇની હત્યા કરી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

    Follow us On Social Media🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
    📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
    🌐 Website : https://bindia.co/
    TWITTER : https://x.com/buletin_india
    FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

    Related Posts

    વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

    સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

    સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *