બનાસકાંઠા જિલ્લાને મળશે નર્મદાનું પાણી, સૂકા પડેલા ખેતરો ફરી લીલાછમ થશે

B INDIA બનાસકાંઠા : રાજ્ય સરકારે 115 ગામોમાં નર્મદાના પાણીથી તળાવો ભરવાની જાહેરાત કરી છે. ત્યારે વર્ષોથી સૂકાભઠ્ઠ પડેલા ખેતરોમાં ફરી લીલીછમ ખેતીની આશા જાગી છે. છેલ્લા દશકથી પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહેલા આ વિસ્તારમાં ભૂગર્ભ જળ 1000 ફૂટથી પણ નીચે જતા રહ્યા છે. આના કારણે ખેડૂતો માત્ર ચોમાસા પૂરતી જ ખેતી કરી શકતા હતા અને ઘણા ખેડૂતોએ તો પશુપાલન સહિતના પરંપરાગત વ્યવસાયો છોડવાની ફરજ પડી હતી.

ધાનેરાના મેવાડા ગામના ખેડૂત મગનભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, અમારો પરિવાર પેઢીઓથી ખેતી સાથે જોડાયેલો છે, પરંતુ પાણીની અછતે અમને માત્ર વરસાદ આધારિત ખેતી સુધી સીમિત કરી દીધા હતા. હવે નર્મદાનું પાણી આવતા અમને ફરી ખેતી અને પશુપાલન તરફ વળવાની તક મળશે.

રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત ધાનેરા વિસ્તારના 55 અને થરાદના 60 ગામોમાં કુલ 1048 કરોડના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટથી માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન ઉદ્યોગને પણ નવજીવન મળશે એવી આશા છે.ગોવાભાઇ ચૌધરીએ આ અંગે જણાવ્યું કે, અત્યાર સુધી ખેડૂતો પોતાની મોંઘી જમીન વેચીને માંડ-માંડ ગુજરાન ચલાવતા હતા. હવે નર્મદાના પાણીથી આ વિસ્તારમાં ખેતી અને પશુપાલન બંને ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે.

આ પરિયોજના થકી હજારો હેક્ટર જમીનમાં ફરી ખેતી શક્ય બનશે. અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની આશા છે. વર્ષોની રજૂઆતો અને આંદોલનો બાદ મળેલી આ સફળતાએ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જ્યો છે, અને ખેડૂતોને તેમની પરંપરાગત આજીવિકા તરફ પાછા ફરવાની તક આપી છે.

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *