બનાસકાંઠા જિલ્લાને મળશે નર્મદાનું પાણી, સૂકા પડેલા ખેતરો ફરી લીલાછમ થશે

B INDIA બનાસકાંઠા : રાજ્ય સરકારે 115 ગામોમાં નર્મદાના પાણીથી તળાવો ભરવાની જાહેરાત કરી છે. ત્યારે વર્ષોથી સૂકાભઠ્ઠ પડેલા ખેતરોમાં ફરી લીલીછમ ખેતીની આશા જાગી છે. છેલ્લા દશકથી પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહેલા આ વિસ્તારમાં ભૂગર્ભ જળ 1000 ફૂટથી પણ નીચે જતા રહ્યા છે. આના કારણે ખેડૂતો માત્ર ચોમાસા પૂરતી જ ખેતી કરી શકતા હતા અને ઘણા ખેડૂતોએ તો પશુપાલન સહિતના પરંપરાગત વ્યવસાયો છોડવાની ફરજ પડી હતી.

ધાનેરાના મેવાડા ગામના ખેડૂત મગનભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, અમારો પરિવાર પેઢીઓથી ખેતી સાથે જોડાયેલો છે, પરંતુ પાણીની અછતે અમને માત્ર વરસાદ આધારિત ખેતી સુધી સીમિત કરી દીધા હતા. હવે નર્મદાનું પાણી આવતા અમને ફરી ખેતી અને પશુપાલન તરફ વળવાની તક મળશે.

રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત ધાનેરા વિસ્તારના 55 અને થરાદના 60 ગામોમાં કુલ 1048 કરોડના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટથી માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન ઉદ્યોગને પણ નવજીવન મળશે એવી આશા છે.ગોવાભાઇ ચૌધરીએ આ અંગે જણાવ્યું કે, અત્યાર સુધી ખેડૂતો પોતાની મોંઘી જમીન વેચીને માંડ-માંડ ગુજરાન ચલાવતા હતા. હવે નર્મદાના પાણીથી આ વિસ્તારમાં ખેતી અને પશુપાલન બંને ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે.

આ પરિયોજના થકી હજારો હેક્ટર જમીનમાં ફરી ખેતી શક્ય બનશે. અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની આશા છે. વર્ષોની રજૂઆતો અને આંદોલનો બાદ મળેલી આ સફળતાએ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જ્યો છે, અને ખેડૂતોને તેમની પરંપરાગત આજીવિકા તરફ પાછા ફરવાની તક આપી છે.

Related Posts

અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલની બેઝમેન્ટ ડ્રેનેજમાં ઝેરી ગેસથી ત્રણ શ્રમિક બેભાન, ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યૂ

અમદાવાદ શહેરની યુ.એન. મહેતા હોસ્પિટલના કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્ક (ડ્રેનેજ ચેમ્બર)ની સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે ત્રણ શ્રમિકો બેભાન થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ…

સુરતમાં 2 કલાકમાં 4.41 ઇંચ વરસાદ: રસ્તાઓ નદી બન્યા, ઘૂંટણસમા પાણીમાં વાહનો ફસાયા

સુરત શહેરમાં સોમવારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. માત્ર બે કલાકમાં 4.41 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *