જામનગરમાં મેગા ડિમોલિશન, ગેરકાયદેસર ધાર્મિક સ્થળનાં દબાણ કરાયા દૂર

B INDIA જામનગર : જામનગરમાં તંત્રનુ બુલડોઝર ગેરકાયદેસર કરાયેલા દબાણ પર ફરી વળ્યું છે. જેમાં ગેરકાયદે ધાર્મિક સ્થળના દબાણ દૂર કરવામાં આવ્યા છે.સરકારી જમીન પર ધાર્મિક સ્થાન બનાવી દેવામાં આવ્યું હતુ. ત્યારે આજે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે.અને 10 હજાર સ્કવેર ફિટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

-> નોટિસ આપ્યા બાદ કરાઈ કાર્યવાહી :- સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયું હતુ જેમાં મામલતદારા દ્વારા અવાર-નવાર જે તે ધાર્મિક સ્થળને નોટીસ આપવામાં આવી હતી તેમ છત્તા નોટીસનો જવાબ નહી અને સરકારી જગ્યા ખાલી કરવામાં આવતી ન હતી ત્યારે આજે વહેલી સવારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે,ત્યારે પોલીસ અને તંત્રની ટીમે દબાણ દૂર કર્યા છે,કોઈ અઈચ્છનીય ઘટના ના બને તેને લઈ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

શહેરના ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.દબાણ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના બર્ધન ચોક વિસ્તાર અને તાપી નદીના પટ નજીકના વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિક અને દબાણની સમસ્યાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.કમિશનર ડી.એન. મોદી, એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓએ સંયુક્ત રીતે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.

Related Posts

વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલાખોર સિંહો માટે આંબરડીમાં બનશે100 હેક્ટરનું ખાસ ક્ષેત્ર Smart Solution

9 ઓગસ્ટ 2026: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવાની દિશામાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ ક્ષેત્રને ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *