ચમારિઆ ગામમાં જનજાગૃતિ લાવવા માટે રાત્રે ભાથીજી મહારાજ કથા કાર્યક્રમનું આયોજન

સંજેલી તાલુકાના ચમારિઆ ગામમાં ગ્રામ પંચાયત પાસેહોળી ફળિયામાં જય ગોગદેવ યુવા મંડળ સાંતા રોડ દ્વારા ક્ષત્રિય નાયક ભાથીજી મહારાજની કથાનું એક દિવસીય વર્ણન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક જાગૃતિ અર્થે ભાથીજી મહારાજના આખ્યાનનો પ્રોગ્રામ રાત્રી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સૌપ્રથમ ગણપતિની સ્તુતિ કરીને શરૂઆત કરવામાં આવી હતી.

 

 

આ આખ્યાનમાં આજુબાજુનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ભાથીજી મહારાજે કરેલા જીવનના કાર્યો અને અનેક પાત્રો ભજવીને અંચબિત માહિતી આપવામાં આવી હતી. જેમાં નાના- નાના બાળકોને ખુબ આનંદ થયો હતો. ત્યારે લોકોએ રાત્રીના સમયે કડકડતી ઠંડીમાં ભાથીજી મહારાજ આખ્યાનનો લહાવો લીધો હતો.

 

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *