દુબઈ એર-શો દરમિયાન તેજસ વિમાન ક્રેશ: વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ, દેશે ગુમાવ્યો બહાદુર પાઇલટ

દુબઈ એર-શો 2025 દરમિયાન ભારતના તેજસ ફાઇટર જેટ સાથે ગંભીર અકસ્માત થયો, જેમાં ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ થયા. પ્રદર્શન ઉડાન દરમિયાન વિમાન અચાનક અનિયંત્રિત થઈ જમીન સાથે અથડાયું. અકસ્માત બપોરે લગભગ 3:40 વાગ્યે થયો હતો.

બહાદુરીથી બચાવ્યો હજારો લોકોનો જીવ
Indian Air Forceના પ્રાથમિક અહેવાલ મુજબ, વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિંગ કમાન્ડર નમન શ્યાલે વિમાનને ભીડથી દૂર લેનાર છેલ્લી ઘડીએ પ્રયાસ કર્યો. જો તેઓ ઇજેક્ટ થઈ જતા, તો વિમાન ભીડ પર પડી મોટા પાયે જાનહાનિ થવાની શક્યતા હતી. પરંતુ પાઇલટ અંત સુધી કોકપિટમાં રહ્યા અને લોકોનું જીવન બચાવવા પોતાનું જીવન બલિદાન આપ્યું.

કોણ હતા વિંગ કમાન્ડર નમન શ્યાલ?
– હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નાગરોટા વિસ્તારના રહેવાસી
– વય માત્ર 34 વર્ષ
– MiG-21 અને Su-30 MKI જેવા લડાકૂ વિમાનના અનુભવી પાઇલટ
– હાલ 3rd Squadron સાથે તેજસ ઉડાડતા હતા
– દેશના સૌથી કુશળ અને શાંત સ્વભાવના પાઇલટ તરીકે ઓળખાતા

સીએમ સુખુએ વ્યક્ત કર્યો શોક
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ લખ્યું “દુબઈ એર-શો દુર્ઘટનામાં આપણા કાંગડાના બહાદુર પુત્ર નમન શ્યાલજીનો મૃત્યુ સમાચાર હૃદયદ્રાવક છે. દેશે કર્તવ્યનિષ્ઠ અને હિંમતવાન પાઇલટ ગુમાવ્યો છે.”

દુર્ઘટના કેવી રીતે બની?
વાયુસેનાના સૂત્રોના મુજબ પાઇલટ પ્રદર્શન દરમિયાન પોઝિટિવ-જી ટર્ન પછી નેગેટિવ-જી પુલઓવર કરી રહ્યા હતા. એ સમયે વિમાનમાં અજાણી ખામી સર્જાઈ. પાઇલટએ વિમાનને સમતળ પોઝિશનમાં લાવી નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. અંતે વિમાન જમીન પર તીવ્ર ગતિએ અથડાયું. વસ્તુની સાચી હકીકત જાણવા માટે IAF એ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી ને આદેશ આપી દીધો છે.

નમન શ્યાલને નમન
વિંગ કમાન્ડર નમન શ્યાલે અંતિમ શ્વાસ સુધી ફરજ નિભાવી અને હજારો જીવ બચાવવા પોતાનું જીવન આપ્યું. દેશ ભરમાં તેમની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…

કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ લશ્કર આતંકી મોહમ્મદ લતીફ ભટ સામે સુરક્ષા એજન્સીઓનો સિકંજો, શ્રીનગરમાં ‘વોન્ટેડ’ પોસ્ટરો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા અભિયાનને વધુ તીવ્ર બનાવતાં ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઝડપી પાડવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં તાજેતરમાં થયેલી લક્ષિત હત્યાઓમાં તેની સંડોવણી હોવાની શંકા છે. આ કેસમાં એક પોલીસ જવાન અને બે પરપ્રાંતીય મજૂરોની હત્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે પોલીસે અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત શ્રીનગર શહેરના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને પ્રેસ એન્ક્લેવ સહિતના વિસ્તારોમાં મોહમ્મદ લતીફ ભટના ફોટોગ્રાફ સાથે ‘વોન્ટેડ’ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેની ઓળખ અંગે માહિતી આપવામાં આવી…