મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવ્યું સુજલામ સુફલામ જળ અભિયાન 2.0, તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવાની નેમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંચય અને જળ સંગ્રહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા “કેચ ધ રેઈન” આહવાનને સાકાર કરવા ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જળ સંચય અને જળ સંગ્રહ માટેનું આ મહાઅભિયાન તા. 31 મે 2026 સુધી યોજાશે. આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના અને વરસાદી પાણીના સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે. આ હેતુસર, રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના 6 જેટલા વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે. આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું…
ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો સર્જાયો રેકોર્ડ, 20 વર્ષમાં 25 લાખ હેક્ટર વિસ્તારમાં અમલ
આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC)ના માધ્યમથી “સૂક્ષ્મ સિંચાઈ યોજના” અમલમાં મૂકી હતી. ખેડૂતો પાણીના મર્યાદિત ઉપયોગથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેઈન-ગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો…
પાકિસ્તાને UNમાં પાણી માટે માંગી ભીખ, ભારતના સખ્ત વલણ સામે થયું લાચાર
પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, ભારત દ્વારા સિંધુ જળ સંધિનું એકપક્ષીય સસ્પેન્શન “લાખો લોકોના જીવન અને પર્યાવરણને જોખમમાં મુકતું” પગલું છે. પાકિસ્તાનની અપીલ: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના તરત પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનું નિષ્ફળ કરવા અને પાણી વહેંચણને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો હતો. આ પગલાથી પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ હોવાનું નોંધાયું છે. શાહબાઝ શરીફના દેશના નેતાઓનો દાવો છે કે, દેશમાં પાણીની દરેક ટીપા માટે તરસ અનુભવાઇ રહી છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે. લોકો અને પર્યાવરણ જોખમમાં: અસીમ ઇફ્તિખાર અહેમદે જણાવ્યું કે, ભારતનું આ પગલું માત્ર સંધિના અક્ષર અને ભાવનાનું ઉલ્લંઘન નથી, પરંતુ…









