ઈરાનથી ખાડી દેશોમાં તણાવ, UAE પર મિસાઇલ હુમલાની આશંકાથી એલર્ટ
મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલ અનુસાર, ઈરાને સાઉદી અરેબિયા અને ઓમાનને સંકેત આપ્યા છે કે તે સંયુક્ત આરબ અમીરાત UAEને મોટા પાયે નિશાન બનાવવાની તૈયારીમાં છે. અહેવાલમાં આગામી 24 કલાકમાં UAE પર મિસાઇલ હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ દાવાની ઈરાન અથવા UAE તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમાચાર બાદ ખાડી દેશોમાં સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. મિડલ ઈસ્ટમાં પહેલેથી જ ચાલી રહેલા તણાવ વચ્ચે નવા હુમલાની આશંકાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધારી છે. અમેરિકાએ જાહેર કર્યું ગ્લોબલ સિક્યોરિટી એલર્ટ મિડલ ઈસ્ટની બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાના વિદેશ વિભાગે ગ્લોબલ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાએ પોતાના…
મિડલ ઈસ્ટમાં સક્રિય મિશન બાબતે PM મોદીની 2 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ટેલિફોન પર વાતચીત
મધ્ય પૂર્વમાં વધતી સૈન્ય તણાવ અને હિંસા વચ્ચે ભારતે રાજદ્વારી સ્તરે સક્રિયતા વધારી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ બહેરીન અને સાઉદી અરેબિયાના ટોચના નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. બહેરીન અને સાઉદી નેતાઓ સાથે ચર્ચા PM મોદીએ બહેરીનના રાષ્ટ્રપતિ હમાદ બિન ઇસા અલ ખલીફા સાથે વાત કરી અને તાજેતરના હુમલાઓની નિંદા કરી. તેમણે બહેરીનના ભારતીય સમુદાયની સુરક્ષા અને સુખાકારી અંગે પણ ચર્ચા કરી. તે જ સમયે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પણ વાતચીત કરવામાં આવી, જેમાં વિસ્તૃત પરિસ્થિતિમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સહકાર પર ભાર મૂકાયો. ઇઝરાયલ અને યુએઈ સાથે પણ સંપર્ક પીએમ મોદીએ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ વાત કરી અને દુશ્મનાવટને…
પાકિસ્તાનને UAEનો ‘ઝટકો’: ઈસ્લામાબાદ એરપોર્ટ ડીલ રદ, ભારત-UAE સંબંધો મજબૂત
પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ સર્જાઇ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર અચાનક રદ કરી દીધો છે. આ નિર્ણય UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારતની સફળ મુલાકાત બાદ લેવામાં આવ્યો હોવાનું નોંધાયું છે. એક તરફ ભારત અને UAE વચ્ચે અબજો ડોલરના રોકાણ અને સંરક્ષણ કરારો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાને તેના સૌથી જૂના ખાડી દેશના સહયોગનો ભરોસો ગુમાવી દીધો છે. UAEનો નિવેદન અને રાજકીય દૃષ્ટિકોણ UAE એ આ નિર્ણય પાછળ પાકિસ્તાની પ્રોજેક્ટ્સમાં “રસનો અભાવ” હોવાનું કારણ બતાવ્યું છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ નિર્ણય પાછળ પાકિસ્તાનની આર્થિક નબળાઈ, આંતરિક રાજકીય અસ્થિરતા…
UAE 500થી વધુ ભારતીય નાગરિકો સહિત 1295 કેદીઓને મુક્ત કરશે, રમઝાન પર સામુહિક માફીની જાહેરાત
સંયુક્ત આરબ અમીરાતે (UAE) પવિત્ર રમઝાન મહિના દરમિયાન 500 થી વધુ ભારતીય નાગરિકો સહિત કેદીઓને સામૂહિક માફીની જાહેરાત કરી છે. ફેબ્રુઆરીના અંતમાં અમલમાં આવેલા આ નિર્ણય હેઠળ, રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 1,295 કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ સાથે, વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે 1,518 કેદીઓને માફ કર્યા. આ પણ વાંચો :- દુનિયાના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થયા મુકેશ અંબાણી, જો કે હજુ પણ ભારતના સૌથી ધનિક વ્યક્તિ રમઝાન દરમિયાન કેદીઓને માફ કરવાની આ વાર્ષિક પરંપરા યુએઈની ન્યાય, કરુણા અને ભારત સાથે મજબૂત રાજદ્વારી સંબંધો જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પહેલ રમઝાનની કરુણા અને સમાધાનની ભાવનાનું એક મહત્વપૂર્ણ પ્રતીક છે. શેખ મોહમ્મદ બિન રશીદ દ્વારા આપવામાં આવેલી માફી દુબઈના…
UAE અને સાઉદી અરબમાં ભારતીયોને ફાંસની સજાના આંકડા ચિંતાજનક, કાનુની સહાય મોટેભાગે નિષ્ફળ
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં તાજેતરમાં બે ભારતીય નાગરિકોને અલગ અલગ હત્યાના કેસમાં ફાંસી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે આ વ્યક્તિઓની ઓળખ મુહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલ તરીકે થઈ છે. તે મૂળ કેરળનો હતો. આ ઘટના વિદેશમાં, ખાસ કરીને યુએઈ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિકોની ચિંતાજનક સ્થિતિ તરફ ધ્યાન દોરે છે. કેરળના મુહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને અનુક્રમે એક અમીરાતી નાગરિક અને એક ભારતીય નાગરિકની હત્યા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.યુએઈની સર્વોચ્ચ અદાલત (કોર્ટ ઓફ કેસેશન) એ તેમની સજાને સમર્થન આપ્યું અને તેમને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ ફાંસી આપવામાં આવી. આ પણ વાંચો :- મસ્કને ઝટકો, લોન્ચીંગની થોડી જ ક્ષણોમાં સ્પેસએક્સ સ્ટારશિપ…











