જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ
જમ્મુ અને કાશ્મીર પોલીસને આતંકવાદ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 42મી રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને CRPFની 180મી બટાલિયન સાથે સંયુક્ત રૂપે હાથ ધરવામાં આવી હતી. પોલીસે નાનાર મીદુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ સમગ્ર વિસ્તાર ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન, નાનારના ગણાઈ મોહલ્લાના રહેવાસી નઝીર અહેમદ ગનાઈની ધરપકડ કરવામાં આવી. તપાસ દરમ્યાન તેણે એક બગીચામાં છુપાવેલા આતંકવાદી ઠેકાણાની માહિતી આપી. સુરક્ષા દળોએ તરત જ તે ઠેકાણું શોધી કાઢ્યું અને નાશ કરેલાં વિસ્ફોટક સાધનોમાં બે હેન્ડ ગ્રેનેડ, એક ડેટોનેટર અને અન્ય વિસ્ફોટક સામગ્રીનો સમાવેશ હતો. આ ઠેકાણું ત્રાલ અને અવંતીપોરા જેવા વિસ્તારોમાં આતંકી હુમલાઓ માટે તૈયાર કરવામાં…
જમ્મુ કશ્મીર: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 9 લોકોના મોત 27 ઘાયલ
શુક્રવારે રાત્રે દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો. રાત્રે 11:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં 9 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે, જ્યારે 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાસ્થળે માનવ શરીરના અવશેષો 300 ફૂટ દૂર સુધી ફેલાઈ ગયાનું જાણવા મળ્યું છે. ssવિસ્ફોટના પ્રહારથી પોલીસ સ્ટેશનનો મોટો ભાગ ઢળી પડ્યો. આગના ગોટેગોટા અને ઘેરો ધુમાડો દૂર સુધી જોવા મળ્યો. બચાવ કાર્યને શરૂઆતમાં મુશ્કેલી પડી કારણ કે નાના વિસ્ફોટો સતત થતા રહ્યા. કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની શકયતા વ્યક્ત થઈ છે. તપાસના બે મુખ્ય સંદર્ભો: સુરક્ષા એજન્સીઓ આ વિસ્ફોટને લઈને બે ખૂણાઓથી તપાસ કરી રહી છે: 1. બેદરકારીનો મુદ્દો પોલીસ સ્ટેશનની અંદર 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક સામગ્રી…
હાઇ એલર્ટ વચ્ચે CSMT બસ ડેપો ખાલી, શંકાસ્પદ બેગને લઈને મુંબઇમાં ગભરાટ
મુંબઈ શહેરમાં હાઇ એલર્ટ વચ્ચે ગભરાટના માહોલ સર્જાયો, જયારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) બસ ડેપોમાં શંકાસ્પદ લાલ બેગ મળી આવી. ઘટના સાંજે 4:45 વાગ્યે વેઇટિંગ એરિયા પાસે સર્જાઈ, જેને પગલે ડેપો તાત્કાલિક ખાલી કરાવાયો. સુરક્ષા કાર્યવાહી ડેપો અધિકારીઓએ મુસાફરો અને સ્ટાફને તરત બહાર કાઢ્યું. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ અને બેગની ઝીણવટભરી તપાસ કરી. ઘટનાના શરૂઆતમાં ડેપોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ખોટો એલાર્મ તપાસ બાદ, પોલીસએ રાહતભર્યા સમાચાર આપ્યા કે બેગમાં કંઈપણ હાનિકારક સામગ્રી નહોતું. ઘટના ખોટો એલાર્મ જાહેર કરવામાં આવ્યો. થોડીવાર પછી બસ સેવાઓ ફરી શરૂ થઈ, પરંતુ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ચેતવણીઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા પર અસર દિલ્હી…
નૂર વલી મહેસુદે પાકિસ્તાનને કઠિન પરિસ્થિતિમાં મુકી દીધું, સતત આતંકવાદી હુમલાઓ બાદ તણાવ શિખરે
8 ઓક્ટોબરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં થયેલા ભારે હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. આ હુમલાની જવાબદારી TTPએ લીધી હતી, જેના નેતા નૂર વલી મહેસુદ છે. હમલાના પ્રતિસાદમાં પાકિસ્તાને કાબુલ સ્થિત તેના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, પરંતુ મહેસુદ બચી ગયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાથી પાકિસ્તાનને આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. નૂર વલી મહેસુદ: કોણ છે આ આતંકવાદી નેતા? – જન્મ: 26 જૂન, 1978 – દક્ષિણ વઝીરિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા – જાતિ: મહસુદ પઠાણ (પશ્તુન જાતિની મેચીખેલ ઉપજાતિ) – 2018થી TTPના વડા – પૂર્વ TTP વડા મુલ્લા ફઝલુલ્લાહના મોત પછી સુકાની પદ પર આવ્યા – TTPના કાર્યકાળમાં આતંકવાદી હુમલાઓમાં વધારો -10 સપ્ટેમ્બર 2019: અમેરિકા…










