છેતરપિંડી રોકવા માટે સરકારે કરી મોટી કાર્યવાહી, 21 લાખ સિમ કાર્ડ કર્યા બ્લોક

સરકારે છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. અત્યાર સુધીમાં 21 લાખથી વધુ સિમ કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની આ કાર્યવાહીથી મોટા પાયે છેતરપિંડી અટકાવવામાં મદદ મળી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ પણ જનતાને ખાસ અપીલ કરી છે જેથી મોટા પાયે થતી છેતરપિંડી પર રોક લગાવી શકાય. દરરોજ, યુઝર્સ ને લાખો નકલી કોલ્સ અને સંદેશાઓ મળી રહ્યા છે. આ દ્વારા, હેકર્સ લોકોનો ડેટા ચોરી રહ્યા છે અને છેતરપિંડી કરી રહ્યા છે. ટ્રાઇએ લોકોને સંચાર સાથી એપનો ઉપયોગ કરીને તેમના ફોન પર આવતા સ્પામ કોલ્સ અને મેસેજની જાણ કરવા વિનંતી કરી છે. આવા કોલ્સ અને મેસેજની જાણ કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાઇ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું હતું કે સ્પામ કોલ્સ…