નૂર વલી મહેસુદે પાકિસ્તાનને કઠિન પરિસ્થિતિમાં મુકી દીધું, સતત આતંકવાદી હુમલાઓ બાદ તણાવ શિખરે
8 ઓક્ટોબરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં થયેલા ભારે હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. આ હુમલાની જવાબદારી TTPએ લીધી હતી, જેના નેતા નૂર વલી મહેસુદ છે. હમલાના પ્રતિસાદમાં પાકિસ્તાને કાબુલ સ્થિત તેના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, પરંતુ મહેસુદ બચી ગયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાથી પાકિસ્તાનને આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. નૂર વલી મહેસુદ: કોણ છે આ આતંકવાદી નેતા? – જન્મ: 26 જૂન, 1978 – દક્ષિણ વઝીરિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા – જાતિ: મહસુદ પઠાણ (પશ્તુન જાતિની મેચીખેલ ઉપજાતિ) – 2018થી TTPના વડા – પૂર્વ TTP વડા મુલ્લા ફઝલુલ્લાહના મોત પછી સુકાની પદ પર આવ્યા – TTPના કાર્યકાળમાં આતંકવાદી હુમલાઓમાં વધારો -10 સપ્ટેમ્બર 2019: અમેરિકા…
શાહબાઝે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શાંતિ મંત્રણાની અપીલ પણ કરી
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે હવે કોઈ વાતચીત ફક્ત પીઓકે (પાક અધિકૃત કાશ્મીર) અને આતંકવાદના મુદ્દા પર જ થશે. ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં શાહબાઝની અપીલ આ ટિપ્પણી શાહબાઝે “થેંક્સગિવિંગ ડે (યમ-એ-તશકુર)” નિમિત્તે આપી હતી. આ દિવસ ઓપરેશન સિંદૂર દરમિયાન માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. શાહબાઝે કહ્યું, “ભારત અને પાકિસ્તાન ત્રણ યુદ્ધો લડી ચૂક્યા છે, છતાં કંઈ હાંસલ થયું નથી.” તેમણે જણાવ્યું કે હવે બંને દેશોએ શાંતિના માર્ગે આગળ વધવું જોઈએ અને ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. કાશ્મીર મુદ્દો…








