14 વર્ષ બાદ બાંગ્લાદેશ–પાકિસ્તાન વચ્ચે શરૂ થશે સીધી ફ્લાઇટ સેવા, ભારત ઉપરથી ઉડાનને લઈ સસ્પેન્સ
દક્ષિણ એશિયાઈ હવાઈ પરિવહનમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય એરલાઇન બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ 14 વર્ષ બાદ ફરી એકવાર પાકિસ્તાન માટે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરી રહી છે. 29 જાન્યુઆરી, 2026થી ઢાકા અને કરાચી વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં આ રૂટ પરની સીધી હવાઈ સેવા બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે કોઈ સીધી ફ્લાઇટ ઉપલબ્ધ નહોતી. હવે *પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (PCAA)*ની મંજૂરી મળ્યા બાદ આ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અઠવાડિયામાં બે દિવસ ઉડશે ફ્લાઇટ મીડિયા રિપોર્ટ મુજબ શરૂઆતમાં આ ફ્લાઇટ્સ અઠવાડિયામાં બે દિવસ – ગુરુવાર અને શનિવારે સંચાલિત કરવામાં આવશે. ફ્લાઇટ સમયપત્રક (સ્થાનિક સમય અનુસાર) – ઢાકા → કરાચી રાત્રે…
અફઘાનિસ્તાનના મંત્રી અઝીઝી ભારત પહોંચ્યા, પાકિસ્તાન પર દબાણ વધારવાની તૈયારી
અફઘાનિસ્તાનના વાણિજ્ય પ્રધાન હઝરત અલ્હાજ નૂરુદ્દીન અઝીઝી પાંચ દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારતમાં પહોંચ્યા છે. તેઓ IITF 2025ના વિશેષ મેલામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે જોડાયા અને ભારતીય વેપારીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા માટે કેન્દ્રિત છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે અને હવે ભારત સાથે વેપાર વધારવાનો દબાણ શરૂ કર્યું છે. આ પગલાથી બંને દેશના ગાઢ સંબંધોને મજબૂતી મળશે અને પાકિસ્તાનને બાયપાસ કરવાના વૈકલ્પિક માર્ગ ખોલાશે. ભારત-અફઘાનિસ્તાનના મુખ્ય વેપાર ક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, મશીનરી, ખાંડ, ચા અને ચોખા સમાવેશ થાય છે, જ્યારે અફઘાનિસ્તાન તરફથી કૃષિ ઉત્પાદનો અને ખનિજો ભારતમાં આયાત થાય છે. અફઘાનિસ્તાન ભારત પાસેથી ખાણકામ અને જળવિદ્યુત ક્ષેત્રમાં રોકાણ ઇચ્છે છે. Follow us…
પાકિસ્તાને UNમાં પાણી માટે માંગી ભીખ, ભારતના સખ્ત વલણ સામે થયું લાચાર
પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, ભારત દ્વારા સિંધુ જળ સંધિનું એકપક્ષીય સસ્પેન્શન “લાખો લોકોના જીવન અને પર્યાવરણને જોખમમાં મુકતું” પગલું છે. પાકિસ્તાનની અપીલ: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના તરત પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનું નિષ્ફળ કરવા અને પાણી વહેંચણને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો હતો. આ પગલાથી પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ હોવાનું નોંધાયું છે. શાહબાઝ શરીફના દેશના નેતાઓનો દાવો છે કે, દેશમાં પાણીની દરેક ટીપા માટે તરસ અનુભવાઇ રહી છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે. લોકો અને પર્યાવરણ જોખમમાં: અસીમ ઇફ્તિખાર અહેમદે જણાવ્યું કે, ભારતનું આ પગલું માત્ર સંધિના અક્ષર અને ભાવનાનું ઉલ્લંઘન નથી, પરંતુ…
નેપાળ: સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ તેજ, વડા પ્રધાન સુશીલા કાર્કીએ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી
નેપાળમાં આવનારી સામાન્ય ચૂંટણીઓ (General Elections) માટેની તૈયારીઓ હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. વડા પ્રધાન સુશીલા કાર્કીએ 5 માર્ચે યોજાનાર ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો, મુખ્યમંત્રીઓ અને વિવિધ હિતધારકો સાથે બેઠક યોજી છે. વડા પ્રધાનના પ્રેસ કોઓર્ડિનેટર રામ બહાદુર રાવલે જણાવ્યું કે આ બેઠકનો હેતુ સંઘીય અને પ્રાંતીય સરકારો વચ્ચે સંદેશાવ્યવહાર અને સંકલન મજબૂત બનાવવો છે જેથી ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકે. પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે સુશીલા કાર્કીનું નેતૃત્વ 73 વર્ષીય સુશીલા કાર્કી 12 સપ્ટેમ્બરે નેપાળની પ્રથમ મહિલા વડા પ્રધાન બની હતી. તેમના પૂર્વવર્તી કેપી શર્મા ઓલીને ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ મુદ્દે થયેલા યુવા આંદોલન બાદ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. સુશીલા કાર્કી હવે નવા રાજકીય વાતાવરણમાં પારદર્શક અને સર્વસંમતિ આધારિત ચૂંટણી…










