1500 કરોડના જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે SITની રચના
1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. એસીબીના અધિક નિયામક બિપિન આહિરની અધ્યક્ષતામાં કુલ 7 સભ્યોની SIT બનાવવામાં આવી છે. તપાસ ટીમમાં અમદાવાદ ACBના નાયબ નિયામક બી.જે. પંડ્યા, રાજકોટ ACBના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ, અમદાવાદ ACBના મદદનીશ નિયામક આર.બી. દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ શહેર ACBના પીઆઈ ડી.એન. પટેલ, સુરેન્દ્રનગર ACBના પીઆઈ એમ.ડી. પટેલ અને મોરબી ACBના પીઆઈ પી.એ. દેકાવાડિયાનો પણ SITમાં સમાવેશ કરાયો છે. આ જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત કુલ ચાર લોકો સામે ACB દ્વારા તપાસ ચાલી રહી…







