NAVRATRI 2025 : માતા ચંદ્રઘંટાની પૂજા થશે બે દિવસ સુધી, જાણો આરતી અને મંત્ર વિષે
સામાન્ય રીતે નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે, પણ આ વર્ષે તે 10 દિવસ સુધી ઉજવાશે. આ વિશેષતા તૃતીયા તિથિનું બે દિવસ સુધી ચાલવાનું સંયોગ બનવાથી શક્ય બન્યો છે. પંચાંગ મુજબ, તૃતીયા તિથિ 24 સપ્ટેમ્બર સવારે 4:51 થી શરૂ થઈ 25 સપ્ટેમ્બર સવારે 7:06 સુધી રહેશે. આથી માતાજીના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા સતત બે દિવસ સુધી કરવામાં આવશે. નવરાત્રીનું પાવન પર્વ ભારતમાં ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. નવ દિવસો સુધી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ દિવસ માતાની શક્તિ, શાંતિ અને આરોગ્યની ઉપાસના માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું માથા પર અર્ધચંદ્ર જેવી ઘંટી હોય છે તેથી તેમનું…







