AAPએ રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની કરી જાહેરાત, ઉદ્યોગપતિ રાજીન્દરના નામ પર મંજુરીની મહોર
આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટીએ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પંજાબમાંથી રાજ્યસભા બેઠક માટે 24 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. આ બેઠક AAPના સંજીવ અરોરાના રાજીનામાથી ખાલી થઈ હતી. AAP ની રાજકીય બાબતોની સમિતિ (PAC) ની બેઠકમાં સર્વાનુમતે રાજિન્દર ગુપ્તાના નામને મંજૂરી આપવામાં આવી. ગુપ્તા એક અગ્રણી ઉદ્યોગપતિ અને ટ્રાઇડેન્ટ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન છે. એક દિવસ પહેલા ગુપ્તાએ પંજાબ આયોજન બોર્ડના વાઇસ ચેરમેન અને શ્રી કાલી માતા મંદિર વ્યવસ્થાપન સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું, જેને સરકારે સ્વીકારી લીધું છે. ગુપ્તાની જીત નિશ્ચિત આ રાજ્યસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાસે નોંધપાત્ર બહુમતી છે, જેના કારણે ગુપ્તાની જીત નિશ્ચિત માનવામાં આવે છે. દિલ્હી વિધાનસભામાં AAPની બહુમતી…







