બલુચિસ્તાનમાં ભયાનક હત્યાકાંડ: પાકિસ્તાની સેના અને બળવાખોરો વચ્ચે લડાઈમાં 200ના મોત, વિસ્ફોટોથી હાહાકાર

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. બલુચ બળવાખોરો દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ વ્યાપક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 145 બલુચ લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓ, 17 સુરક્ષા કર્મચારીઓ અને 31 નાગરિકોનો સમાવેશ થાય છે. પ્રાંતીય મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પુષ્ટિ કરી છે કે છેલ્લા 40 કલાકથી ચાલી રહેલા દરોડા અને લશ્કરી કાર્યવાહીમાં મૃત્યુઆંક પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટો છે. સમગ્ર પ્રાંતમાં વિસ્ફોટો, ગોળીબાર અને હિંસાને કારણે ભય અને અશાંતિનું માહોલ સર્જાયું છે. BLA દ્વારા ‘ઓપરેશન હારોફ’નો બીજો તબક્કો વિદ્રોહી સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનને દબાણમાં મૂકવા માટે ‘ઓપરેશન હારોફ’ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. BLAના પ્રવક્તા જિયાંદ બલોચના…

ચોંકાવનારો દાવો: અફઘાન લશ્કરી વિશ્લેષકોએ પાકિસ્તાનમાં ISIS-ખોરાસનના તાલીમ કેન્દ્રો કાર્યરત હોવાનો આરોપ કર્યો

અફઘાનિસ્તાનના લશ્કરી વિશ્લેષકોએ એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ–ખોરાસન (ISIS-K)ના તાલીમ કેન્દ્રો આજેય પાકિસ્તાનની ધરતી પર કાર્યરત છે. અફઘાન મીડિયાના અહેવાલો મુજબ, પાકિસ્તાન વારંવાર આવા આક્ષેપોને નકારી રહ્યું છે, છતાં અફઘાન નિષ્ણાતોનું કહેવું છે કે ISIS-K ત્યાં સુરક્ષિત આશ્રયસ્થાન અને મજબૂત નેટવર્ક જાળવી રાખે છે. પેશાવરમાં ISIS-Kના વરિષ્ઠ નેતાનું મૃત્યુ તાજેતરમાં પાકિસ્તાનના પેશાવરમાં બનેલી એક ઘટનાએ આ દાવાઓને વધુ મજબૂત બનાવ્યા છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, નુસરત ઉર્ફે અબુ ઝાર, જે ISIS-Kનો વરિષ્ઠ કમાન્ડર માનવામાં આવે છે, તેનું તાજેતરમાં પેશાવરમાં મૃત્યુ થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, અબુ ઝારએ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન કાબુલમાં થયેલા અનેક આતંકી હુમલાઓનું આયોજન કર્યું હતું. તે પાકિસ્તાનમાં ISIS-Kના તાલીમ કેન્દ્રો અને નેટવર્કનું નેતૃત્વ કરતો હતો. પકડાયેલા આતંકવાદીની કબૂલાત…

પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો… 10 લોકોએ ગુમાવ્યા જીવ, જુઓ વીડિયો

પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું છે. મંગળવારે અશાંત બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 30 ઘાયલ થયા હતા. મૃતકોમાં ફ્રન્ટિયર કોર્પ્સના સૈનિકોનો પણ સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિસ્ફોટ ખૂબ જ શક્તિશાળી હતો, જેના કારણે હવામાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. તેમનું કહેવું છે કે ઘણા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટની ગંભીરતાને જોતાં, હોસ્પિટલોએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. બધા ડોકટરો, પેરામેડિક્સ અને નર્સોને ફરજ પર રહેવાની સૂચના આપવામાં આવી છે, અને બધી રજાઓ રદ કરવામાં આવી છે. વિસ્ફોટ ફ્રન્ટિયર કોર્પ્સના મુખ્યાલયની સામે થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે ક્વેટા શહેરના પૂર્વ ભાગમાં ફ્રન્ટિયર…