રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ઈરાની વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત, અનેક બાબતો પર કરી મહત્વપૂર્ણ ચર્ચા
રશિયા અને ઈરાન વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાત આજે મોસ્કોમાં નોંધાઈ હતી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી. આ બેઠકનું મહત્વ આ અઠવાડિયાના અંતમાં મસ્કતમાં યોજાનારી યુએસ-ઈરાન પરમાણુ વાટાઘાટોના આગામી રાઉન્ડના સંદર્ભમાં વધ્યું છે. મોસ્કોમાં કૂટનૈતિક પ્રવૃત્તિ તેજ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યા મુજબ, આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધો, એનર્જી સહકાર, અને પરમાણુ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું હતું. તેમણે જણાવ્યું કે, “ઈરાની વિદેશ મંત્રી આજે સવારે મોસ્કો પહોંચી ગયા હતા અને તરત જ રશિયન અધિકારીઓ સાથે મીટિંગ્સ શરૂ કરી.” શુક્રવારના રોજ રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે અલગથી વ્યાપક બેઠક યોજાનાર છે, જેમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને પરમાણુ સંજોણાવિષયક સ્થિતિ પર…
ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને એવું લાગે છે કે તે દુર્લભ ખનિજ કરારમાંથી પાછળ હટવાનો પ્રયાસ કરી રહ્યો છે અને જો તે આવું કંઈક કરશે તો પરિણામ સારું નહીં આવે, તે તેના માટે સમસ્યાઓ ઊભી કરશે. આ પણ વાચો :- પારસ્પરિક ટેરીફ ઘટાડવા અનેક દેશો અમેરિકા સાથે વાતચીત કરવાની રાહમાં , ટ્રમ્પે કહ્યું ‘હવે 2 એપ્રિલ પછી જ વાત’ ‘યુક્રેન ક્યારેય નાટોમાં જોડાઈ શકશે નહીં :- ‘રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આ જ હરકતોને કારણે, યુક્રેન નાટો જૂથનો ભાગ નહીં બની શકે. જો ઝેલેન્સકીને લાગે છે કે તે ખનિજ કરાર પર ફરીથી વાટાઘાટો…
રશિયન સેનાથી ઘેરાયેલા હજારો યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા ટ્રમ્પે પુતિનને અપિલ કરી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયન સેનાથી ઘેરાયેલા હજારો યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા વિનંતી કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે તેમણે પુતિન સાથે ફોન પર વાત કરી, જે સારી અને ઉપયોગી રહી. ટ્રમ્પે સ્પષ્ટપણે તે સ્થળનું નામ લીધું ન હતું, પરંતુ તેઓ રશિયાના કુર્સ્ક પ્રદેશનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે યુક્રેન દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને જ્યાં રશિયન સૈનિકો આગળ વધી રહ્યા હતા. પુતિને આ વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાંની લશ્કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ પણ વાંચો :- યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે ગ્રીન કાર્ડ ધારકોના અધિકારો પર કરી ટિપ્પણી, કહ્યું ‘અનિશ્ચિત સમય માટે રહેવાનો અધિકાર નથી’ ટ્રમ્પે લખ્યું, “રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અમારી ખૂબ…
ઝેલેન્સકીએ કહ્યું પુતિન યુદ્ધવિરામ ઇચ્છતા નથી પરંતુ ટ્રમ્પના ડરથી….
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકીએ અમેરિકા દ્વારા રજૂ કરાયેલા 30 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવ પ્રત્યે ખચકાટ દર્શાવવા બદલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી છે. આ સાથે, તેમણે પુતિન પર યુદ્ધવિરામમાં છેડછાડ કરવાનો અને મુશ્કેલીઓ ઊભી કરવાનો આરોપ પણ લગાવ્યો. ઝેલેન્સકીએ યુદ્ધવિરામ પ્રસ્તાવ પ્રત્યે પુતિનના વલણને ચાલાકીભર્યું ગણાવ્યું. તેમણે કહ્યું કે પુતિન વાસ્તવમાં યુદ્ધવિરામ ઇચ્છતા નથી પરંતુ તેઓ આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડવા માંગતા નથી. આ પણ વાંચો :- પુતિને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી, જાણો કઇ બાબતે થઇ ચર્ચા ઝેલેન્સકીએ પુતિન પર આરોપ લગાવ્યો કે તેઓ ખરેખર યુદ્ધવિરામનો ઇનકાર કરવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સીધું કહેવાથી ડરતા હતા કે તેઓ યુદ્ધ ચાલુ રાખવા માંગે છે. યુક્રેન…
પુતિને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી, જાણો કઇ બાબતે થઇ ચર્ચા
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી. બંને વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવાના મુદ્દા પર પણ ચર્ચા થઈ. આ સમય દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે સાઉદી અરેબિયાની મધ્યસ્થી અંગે પણ ચર્ચા કરી. આ પણ વાંચો :- Ahmedabad : કાળઝાળ ગરમી લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત ક્રેમલિન દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેબ્રુઆરીમાં રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સના રાજદ્વારીઓ વચ્ચે વાટાઘાટોનું આયોજન કરવામાં સાઉદી અરેબિયાના મધ્યસ્થી પ્રયાસો બદલ સાઉદી ક્રાઉન પ્રિન્સનો પણ આભાર માન્યો હતો. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી :- દરમિયાન, શુક્રવાર (14 માર્ચ) ના રોજ સાઉદી અરેબિયાની રાજ્ય…
યુક્રેન સાથે યુદ્ધને લઇને પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાત, કહ્યું સમાધાન માટે છે તૈયાર
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે યુક્રેન યુદ્ધ પર સમાધાન કરવાની વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચર્ચા માટે કોઈ પૂર્વશરતો નથી પરંતુ કોઈપણ સોદામાં કાયદેસર યુક્રેનિયન સત્તાવાળાઓનો સમાવેશ થવો જોઈએ.રોઇટર્સના અહેવાલ મુજબ, પુતિને કહ્યું કે રશિયા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સહિત કોઈપણ સાથે વાત કરવા તૈયાર છે. પુતિને એક અમેરિકન ન્યૂઝ ચેનલના પત્રકારને કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વર્ષોથી વાત કરી નથી, પરંતુ સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે તેમની સાથે મળવા માટે તૈયાર છે. -> અસ્થાયી યુદ્ધવિરામ પર પુતિને શું કહ્યું? :- પુતિને એવા દાવાઓને ફગાવી દીધા હતા કે રશિયા નબળી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ દેશ…
રશિયા 2025માં ભારતને વિઝા ફ્રી એન્ટ્રીની ગીફ્ટ આપી શકે છે, ભારત સાથે વધુ ગાઢ થતી મિત્રતાની અસર
ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યું છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ રશિયાના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ ભારતીયો વિઝા વિના રશિયા જઈ શકશે. જૂનની શરૂઆતમાં, અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારતે એકબીજા માટે વિઝા પ્રતિબંધોને હળવા કરવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી હતી. ઓગસ્ટ 2023 થી રશિયા જવા માટે ઈ-વિઝા તમને જણાવી દઈએ કે…














